PL 2022ની લીગ મેચો સમાપ્ત થઇ ચુકી છે. હવે પ્લે ઓફની ચાર ટીમ નક્કી છે. આ સાથે જ હવે ક્વોલિફાયર અને એલિમીનેટરની તૈયારીઓ પણ શરુ થઇ ગઈ છે. પહેલી ક્વોલિફાયર 24 મેનાં રોજ કોલકાતાનાં ઈડન ગાર્ડન્સમાં રમવામાં આવશે. આમાં પોઈન્ટ ટેબલમાં નંબર વન ટીમ ગુજરાત ટાઈટન્સ અને બીજા નંબરની ટીમ રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમવામાં આવશે. જો કે, આ પહેલા કોલકાતાનું વાતાવરણ બગડ્યું હતું અને ત્યાં મૂશળધાર વરસાદ પડ્યો હતો. આ વચ્ચે અનુમાન છે કે આવનાર થોડા દિવસોમાં વરસાદ થઇ શકે છે. આ ધ્યાનમાં રાખતા બીસીસીઆઈએ પ્લે ઓફનાં મુકાબલાઓને લઈને નિયમોમાં અમુક ફેરફાર કર્યા છે.
- પ્લેઑફ માટેના નિયમો
મેચ નહીં થઈ શકે તો સુપરઓવરથી ફેંસલો
બંને ટીમ વચ્ચે 6-6 બોલની મેચ
સુપરઓવર પણ નહીં થઈ શકે તો લીગમાં ટોપવાળી ટીમ વિજેતા
પ્લેઑફ મેચ મોડામાં મોડા 9.40 સુધી શરૂ થઈ શકશે
ફાઇનલ મેચ મોડામાં મોડા 10.10 વાગે શરૂ થઈ શકશે
પહેલી ઈનિંગ પૂરી અને બીજી ન થઈ શકે તો ડકબર્થ લુઈસના આધારે ફેંસલો
વરસાદને કારણે નિયમોમાં કરવામાં આવ્યા ફેરફાર
આઈપીએલ તરફથી કહેવામાં આવ્યું છે કે જો વાતાવરણને કારણે પ્લે ઓફની મેચ પૂરી નથી થઈ શકતી, તો મેચનું પરિણામ સુપર ઓવરથી પણ કાઢી શકાશે. જો સુપર ઓવર પણ થઇ શકે તેમ નથી, તો IPL 2022માં પોઈન્ટ ટેબલમાં જે ટીમ સૌથી વધારે મેચ જીતી છે અને ટોપ પર છે, તેને વિજેતા ઘોષિત કરવામાં આવશે. અમ તો IPLની બધી લીગ મેચ સાડા સાત વાગ્યે શરુ થાય છે અને સાત વાગ્યે ટોસ થાય છે. પ્લે ઓફનાં મુકાબલાઓ માટે પણ આ જ શેડ્યુલ છે, પણ જો વરસાદને કારણે વાતાવરણ બગડે છે, તો 9:40 સુધીમાં પણ મેચ શરુ કરી શકાય છે. ત્યાર બાદ મેચ રમવામાં આવશે નહીં અને સુપર ઓવરથી મેચનું પરિણામ કાઢવાની કોશિશ કરવામાં આવશે.