યે હૈ ન્યુઝ ઇન્ડિયા : વાવ
બનાસકાંઠા ના સરહદી વાવ તાલુકા માં કેનાલ અને સ્ટ્રકચર ને લગતા અનેક પશ્નો છે આમ તો કેનાલ ની વાત કરીએ તો છાશ વારે કેનાલો અનેક વાર તૂટતી હોય છે અને નવાઈ ની વાત નથી .પણ આમ જોવા જઈએ તો કયાંક કેનાલો બની છે તો તો છેવાડા ગામો સુધી પાણી પહોચતું નથી કેમ કે પૈસા કમાવવામાં કોન્ટ્રાક્ટરો વધારે રશ છે જેમાં પીલાય છે આમ ખેડૂત આવું જ રાછેણા માઇનોર ૧ અને ૨ માં દેખાય રહ્યું છે .જેમાં કોન્ટ્રાક્ટ ની ભાષામાં સાયફન(સ્ટ્રક્ચર) કેવાય છે .જેને બન્યા ને આશરે સાત વર્ષ થયા છે સ્ટ્રકચર ના છોતરા ઉતરી ગયા છે . જેમાં નિમ્નકક્ષા વાળું કામ દેખાય રહ્યું છે અને તેના છોતરા પણ ઉતરી ગયા છે .જેને રીપેર કરવા ની તો વાતજ નહિ પરંતુ રાછેણા માઇનોર ૧ અને ૨ કચરા ઓનું સામ્રાજ્ય થતા આજ અમારા મીડિયા ટીમ ના પ્રતિનિધિ એ રાછેણા ગામ ની મુલાકાત લીધી અને સ્થળપર જતા જાણવા મળ્યું હતું .જેમાં રાછેણા ગામના ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું કે કે આ સ્ટ્રકચર કે કેનાલ બનાવતી વખતે કોન્ટ્રાક્ટરે નિમ્ન કક્ષા વાળું કામ કરેલ છે જેમાં મોટા પ્રમાણ માં અધિકારી ઓ અને કોન્ટ્રાક્ટર ની મિલી ભગત છે .વારવાર અધિકારી ઓ આ કેનાલ ની મુલાકાત લે છે પરંતુ શું આ જર્જરીત સ્ટ્રક્ચર નહિ દેખાયુ નહિ હોય ?જેવા અનેક સવાલો ઉપજી રહ્યા છે .જો સ્ટ્રકચર માં ભંગાણ સર્જાશે તો જવાબદાર કોણ ? શું આ ધટના થશે તેની તંત્ર રાહ જોઈ બેઠું છે ? આ સ્ટ્રક્ચર નું રીપેરીંગ અને સફાઈ નું કામકાજ કોઈ ડીસા ની કન્સ્ટ્રક્શન કંપની ને અપાયું છે.તે કન્સ્ટ્રક્શન કંપની એ થરાદ ના પેટા કોન્ટ્રાકટર ને અપાયું છે .પરંતુ કોન્ટ્રાકટર ની બેદરકારી ને લીધે ખેડૂતો ને કેનાલ માં જાત સફાઈ કરવાનો વારો આવ્યો છે.