ચૂંટણી પહેલા ભાજપ દ્વારા તૈયારીઓ પ્રચારથી લઈને રણનિતી બનાવવા મામલે તેજ કરવામાં આવી છે. ત્યારે 5 રાજ્યોના કાર્યકરોમાંથી એક પછી એક રાજ્યના કાર્યકરો ગુજરાતમાં આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કાર્યકરોને પણ ગુજરાતમાં પ્રચારની જવાબદારી સોંપવામાં આવશે. 5 રાજ્યના કાર્યકરોમાંથી અત્યારે બે રાજ્યોના કાર્યકરો ગુજરાતમાં છે. તેમાં પણ યુપી, રાજસ્થાનના કાર્યકરો અત્યાર ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે તેમની બેઠક યોજવામાં આવશે. ભાજપ દ્વારા હોદ્દેદારોની સલાહ સૂચન મુજબ આજથી રણનિતી તેમની સાથે મળીને ઘડવામાં આવશે. ખાસ કરીને 3 મહિના જેટલો સમય ગાળો હવે ચૂંટણીના આડે બચ્યો છે ત્યારે વિવિધ પાર્ટીઓ દ્વારા પ્રચાર અભિયાન શરુ થશે. આ પાંચ રાજ્યોના કાર્યકરો ગુજરાત આવશે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઝારખંડ, બિહાર સહીતના રાજ્યોમાંથી આવેલા કાર્યકરો અલગ અલગ ઝોનમાં પ્રચાર કરશે. જેમને અત્યારથી જ જવાબદારી સોંપી દેવામાં આવી છે. આ ઝોનમાં કાર્યકરોને જવાબદારી સોંપાશે ગુજરાત ઉત્તર ઝોનની જવાબદારી રાજસ્થાનના કાર્યકરોને, મધ્ય ઝોનની જવાબદારી મધ્યપ્રદેશ અને ઝારખંડના કાર્યકરોને સોંપવામાં આવી છે. જ્યારે દક્ષિણ ઝોનની જવાબદારી મહારાષ્ટ્ર ભાજપના શીરે સોંપવામાં આવી છે.તો સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી બિહાર ભાજપના કાર્યકરોને સોંપવામાં આવી છે.