- હૈયે હૈયું ભીંજાય એવી ભાવિક ભક્તોની ભીડ જામી, હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવી
ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલ સાંચોર તાલુકાનાં ખહારવી ધામ ખાતે આવેલ શ્રી ઢબ્બાવાળા માતાજીનાં નવીન મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.જેમાં તા.2/5/2022થી તા.6/5/2022 પાંચ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લાખ્ખો શ્રદ્ધાળુઓનાં આસ્થાનાં પ્રતિક સમાન માતાજીનું લાખ્ખો રૂપિયાનાં ખર્ચે વિશાળ મંદિર બનાવવામાં આવ્યું છે.વૈશાખ સુદ બીજને સોમવારે દશવિધ સ્નાન,પ્રાયશ્ચિત હવન,હેમાડ્રિ સંકલ્પ,જળયાત્રા, શોભાયાત્રા (ધારાવાડી),ધાન્યધિવાસ,મંડપ પૂજન,મંડપ પ્રવેશ, ગણપતિ દેવતા આહવાહન,સ્થાપના ,પૂજન,પ્રધાન દેવતા, સ્થાપના-પૂજન,સાંય પૂજન આરતી બીજા દિવસે શતચંડી હવન,મહાયજ્ઞ,,ત્રીજા દિવસે સ્થાપિત દેવતાઓનું પૂજન અને હવન,ચોથા દિવસે શીખરાભિષેક, મહાસ્નાન, પાંચમા દિવસે પ્રસાદવાસ્તુ શાંતિ પુષ્ટિ યજ્ઞ અને 12.15 કલાકે અભિજીત મુહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.દરેક દીવસે ભવ્ય સંતવાણી ડાયરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રાજસ્થાન ના રાજકિય અગ્રણી સસાદ દેવજીભાઈ પટેલ,દાના ભાઈ પટેલ, કલાકારો જોગભારતીજી, શ્યામ પાલીવાલ, એન્ડ પાર્ટી, ગીતા ગોસ્વામી દ્વારા ભજનોની રમઝટ બોલાવી હતી.