આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી એ એક મહત્વપૂર્ણ બાબતની જાણકારી આપતા જણાવ્યું કે, ભ્રષ્ટ ભાજપના શાસનમાં આજે આખું ગુજરાત ત્રાહિમામ પોકારી ચૂક્યું છે. જે લોકો પહેલા ભાજપને મત આપતા હતા એ પણ હવે કહી રહ્યા છે કે ભાજપે આખા ગુજરાતને ખતમ કરી નાખ્યું છે. એવી જ રીતે આખી કોંગ્રેસ પણ એક સેટીંગબાજ પાર્ટીમાં ફેરવાઈ ગઈ છે, એમની એક જ રીત છે કે ચૂંટણી લડો અને ભાજપમાં જતા રહો. આવી બધી બાબતોથી ઘણા ઈમાનદાર લોકો ત્રાહિમામ પોકારી ચુક્યા છે અને એવા જે ઈમાનદાર લોકોને પ્રજાની સેવા કરવી છે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.
આવા જ એક ઈમાનદાર વ્યક્તિ, પાટણના લાલેશભાઈ ઠક્કર અમદાવાદમાં અરવિંદ કેજરીવાલજીની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. લાલેશભાઈએ વર્ષો સુધી એ વિચારીને કોંગ્રેસમાં કામ કર્યું કે પ્રજાનું કઈ ભલું થશે. પાટણ નગરપાલિકામાં પણ તેઓ વાઇસ પ્રેસિડેન્ટ પદે રહ્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહ્યા. લાલેશભાઈ ઠક્કરએ પ્રજા માટે ખુબ જ કામ કર્યું છે, તો આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈસુદાન ગઢવી, પ્રદેશ એડવોકેટ વિંગના પ્રમુખ પ્રણવભાઈ ઠક્કર અને હિમાંશુભાઈએ લાલેશભાઈ ઠક્કર ને ટોપી અને ખેસ પહેરાવીને વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં સામેલ કર્યા.