રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ગ્રામીણ વિકાસ માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં લાઈટ પાણી અને સારા રસ્તાઓ લોકોને મળી રહે તે માટે દર વર્ષે રાજ્ય સરકાર મોટી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે પરંતુ આજે કોન્ટ્રાક્ટરો નજીવા પૈસા કમાવાની લ્હાયમાં ગ્રામીણ વિસ્તારોમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલ કામો જેમ તેમ કરીને જતા રહે છે જેના કારણે એક બે વર્ષના સમયગાળા દરમિયાન સ્પષ્ટ પડે કોન્ટ્રાકટરો દ્વારા કરેલા કામો ની પોલ ખુલી આવે છે ત્યારે ડીસા તાલુકાના થેરવાડા ગામે આવેલ પ્રાથમિક શાળાની બાજુમાં વરસાદી પાણીના નિકાલ માટે લાખો રૂપિયાના ખર્ચે નાળું બનાવવામાં આવ્યું હતું. પરંતુ 2015 માં આવેલ ભયાનક પુરના કારણે વરસાદી પાણીનો માર સહન કરી ન શક્યું અને વરસાદી પાણીની સાથે નાળું તૂટીને પાણીમાં જતું રહ્યું થોડા સમય બાદ જયારે પાણીનું વહેણ બંધ થયો ત્યારે ફરીથી ગ્રામજનો દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે સ્થાનિક તંત્રને નાળુ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સ્થાનિક તંત્ર જાણે વરસાદનું વધારે પડતું પાણી લોકોના ઘરોમાં ઘૂસે તેની રાહ જોઈ રહ્યું હોય તેવું સ્પષ્ટપણે દેખાઇ રહયું છે 2015ના વર્ષથી નવું નાળું બનાવવા માટે સરપંચ થી માડી સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પણ હજુ સુધી કોઈ જ પ્રકારનું વ્યવસ્થા કરવામાં આવી હતી તાજેતરમાં જ 2021 માં આવેલા ભારે વરસાદના કારણે આ નાળુ તૂટેલો હોવાથી તમામ વરસાદી પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા જેના કારણે સ્થાનિક લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે આ ગામના લોકો હાલ તો જણાવી રહ્યા છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે આ ગામની મુલાકાત લઇ વરસાદી પાણીના નિકાલ માટે તાત્કાલિક ધોરણે આ નાળું તૈયાર કરવામાં આવે તેવી માંગ કરી છે. અને જો આવનારા સમયમાં વરસાદ ના સમયે પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ નાળું તૈયાર કરવામાં નહીં આવે તો મોટી જાનહાનિ થઈ શકે તેમ છે
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વરસાદના આગમન પહેલા ગ્રામ પંચાયત અને નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન પ્લાન દ્વારા જ્યાં પણ વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવાની હોય તે કરી દેવામાં આવે છે જેના કારણે વરસાદના સમયે તેની અસર લોકોના જીવન પર ન વર્તાય પરંતુ ડીસા તાલુકાના થેરવાડા ગામે પરિસ્થિતિ કંઇક અલગ છે થેરવાડા પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ નાળું વરસાદના કારણે તૂટી જવા પામ્યું હતું આ નાળા રીપેરીંગ માટે સ્થાનિક લોકો દ્વારા વહીવટીતંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ માત્ર સરકારી અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે છે પરંતુ જે બાદ કોઈ કામ કરવામાં આવતું નથી. આ બાબતે સ્થાનિક લોકોનું માનવું છે કે વહીવટીતંત્ર અને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાંય અધિકારીઓ માત્ર તપાસ કરીને જતા રહે છે વર્ષો વીતી ગયા પરંતુ આજદિન સુધી કોઇ જ પ્રકારે નાળા સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી. ત્યારે આવનારા સમયમાં વરસાદના આગમન પહેલા વહીવટી તંત્ર દ્વારા આ નાળાનું તાત્કાલિક રીપેરીંગ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે