સૂચના – નરેશ પટેલ જ્યાં સુધી રાજકારણમાં જોડાવાનો નિર્ણય ના લે ત્યાં સુધી કોઈ પ્રતિક્રીયા ભાજપમાંથી ના આપવી 

ભાજપની ચિંતન બેઠકની અંદર મિશન 2022ના મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવી. સવારે 11 વાગ્યથી પ્રારંભ થઈ ગયો છે. હાલમાં જે રીતે નરેશ પટેલની રાજકારણમાં જોડાવવાની વાત થઈ રહી છે ત્યાકે આ બાબતે કોઈએ પણ કંઈ નિવેદન ના આપવું તે અંગેની રણનીતી ઘડવામાં આવી છે. નરેશ પટેલ જ્યાં સુધી નિર્ણય ના લે ત્યાં સુધી કોઈ પ્રતિક્રીયા ભાજપમાંથી ના આપવી. તે અંગેની સૂચના ભાજપના સરકાર અને સંગઠનના મંત્રીઓ, નેતાઓ, અગ્રણીઓ કાર્યકર્તાઓ વગેરેને આપવામાં આવી છે.ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીની આ મહત્વની બેઠક આજથી શરુ થઈ છે ત્યારે આ બેઠકની અંદર દરેક પ્રકારની નાનથી લઈને મોટી બાબતો અંગે ચર્ચા કરવામાં આવી રહી છે ત્યારે નરેશ પટેલ કે જેઓ બીજેપી જોડાય તેવી વાત અગાઉ વહેતી થઈ હતી ત્યારે ફરી હવે ચર્ચા એલી છે કે, નરેશ પટેલ ભાજપમાં નહીં પરંતુ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. બની શકે છે, નરેશ પટેલ આગામી સમયમાં રાજકારણમાં આવવાને લઈને કોઈ નિર્ણય લે. ત્યારે ભાજપ તરફથી અગાઉ પ્રતિક્રીયા તેમને લઈને આપવામાં આવતી હતી. ત્યારે હવેથી આ ચિંતન બેઠકની અંદર નરેશ પટેલના રાજકારણને જોડાવવાને લઈને અન્ય કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા ના આપવા માટે સૂચના આપવામાં આવી હતી.આજે જ મહત્વની બેઠક ખોડલધામ ખાતે પાટીદારોની યોજવામાં આવી હતી. જેથી બની શકે કે, નરેશ પટેલ આગામી સમયમાં કોંગ્રેસમાં જોડાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *