કોરોનાથી મુક્તિ નહીં, ઈન્ડિયન મેડિકલ એસોસિએશને કહ્યું ભારતમાં ચોથી લહેરની શરુઆત, 24 કલાકમાં 8,582 કેસો

ઈન્ડિયન મેડિકલ એસોસિઅેશનનું નિવેદન કોરોનાની ચોથી લહેરને લઈને સામે આવ્યું છે. કોરોનાના કેસો દેશમાં ચિંતાજનક રીતે વધી રહ્યા છે એક સમયે જે કોરોના કેસોનો
આંક દેશમાં 500થી પણ ઓછા કેસો નોંધાતા હતા ત્યારે અત્યારે આ આંક ખૂબ જ વધ્યો છે. છેલ્લા 24 કલાકની અંદર કોરોનાના 8,000ને પાર કેસો નોંધાયા છે. ત્યારે ટાસ્કફોર્સ બાદ આઈએમએ પણ કહ્યું છે કે, આ ચોથી લહેરની શરૂઆત કહી શકાય છે.કોરોનાની ચોથી લહેરની શરૂઆતમાં કાળજી લેવી ખૂબ જ જરૂરી છે આઈએમએ તકેદારીના ભાગરુપે માસ્ક, સોશિયલ ડીસ્ટન્સની જાળવણી, પ્રિકોશન ડોઝ, બાળકોનુંવેક્સિનેશન ઝડપી કરવા અંગે પણ તાકીદ કરી છે. ભયંકર ચિંતાજનક ગતીએ કોરોના કેસો વધી રહ્યા છે. 4થી લહેરની શરૂઆત થઈ ચૂકી છે. કોરોનાના 8,582 કેસોનોંધાતા ફફડાટ પેઠો છે. તેમાં પણ ખાસ કરીને કેરળમાં 2,471 કોરોના કેસો જ્યારે દિલ્હીમાં 795 કેસ સામે આવ્યા છે. શનિવારે દેશમાં કુલ 3.16 લાખ કોવિડ ટેસ્ટ કરવામાંઆવ્યા હતા ડિટેઈલ પોઝિટિવિટી રેટ 2.71 ટકા નોંધાયા છે. મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં દેશમાં 4.32 કરોડ લોકો સંક્રમિત થયા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *