થરાદની ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચો તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ એ રાષ્ટ્રપતિ ના અપમાન લઈ વિરોધ પ્રદર્શન કર્યું

બનાસકાંઠા ના થરાદ ખાતે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ એ વિરોધ પ્રદર્શન કર્યું હતું દેશના 15માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કોંગી નેતા અને સાંસદ દ્વારા રાષ્ટ્રપત્ની તરીકે સંબોધિત કરતા ભાજપ મહિલા મોરચા ના કોટા અધ્યક્ષ પુષ્પાબેન ઠાકોર સહિત તમામ મહિલા મોરચો અને આગેવાનો એ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું અને આદિવાસી દીકરીનું અપમાન નહિ ચાલે સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસ નેતા અને સાંસદનો વિરોધ કર્યો હતો અને દેશ ના રાષ્ટ્રપતિની તેઓ માફી માંગે તેવી માગ કરાઈ હતી. અને જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતાએ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપત્ની તરીકે સંબોધી પોતાની માનસિકતા છતી કરી છે. આ અપમાન દેશ, રાષ્ટ્રપતિ જ નહીં પણ સમગ્ર આદિવાસી જનતાનું પણ છે. દેશના બંધારણ વડા તરીકે સર્વોચ્ચ સ્થાને રહેલા રાષ્ટ્રપતિ સાથે આ નારી શક્તિનું પણ અપમાન છે થરાદ ભાજપે સુત્રોચ્ચારો સાથે કોંગ્રેસ નેતા સામે ભારે રોષ વ્યકત કરી તેઓ પોતાના આવા સંબોધન બદલ દેશ, રાષ્ટ્રપતિની માફી માંગે તેઓ સૂર વ્યક્ત કર્યો છે.જો માફી નહિ માંગે તો અમારો વિરોધ યથાવત રહેશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *