બનાસકાંઠા જિલ્લા ના વાવ, થરાદ, સુઈગામ, વિસ્તાર માં લંપી વાયરસ નો ભરડો

બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, સુઈગામ, વિસ્તારમાં લંપી વાયરસ એટલી હદે ફેલાઈ ચુક્યો છે કે હવે આ રોગ થી કોઈક પશુ બાકી રહ્યું હશે જ્યાં જાઓ ત્યાં લંપી ગ્રસ્ત પશુ અચુક જેવા મળશે અત્યાર સુધી માં કેટકેટલી ગાય માતાઓ મોત ને ભેટી ચુકી છે જે પશુઓ ને રશી મુકાવેલ છે તે પણ લંપી વાયરસ માં મરણ પામે છે રશી પણ કોઈ કામ ન આવી તેવું પશુ પાલકો પાસે થી જાણવા મળ્યું અને ગાયો લંપી વાયરસ ગ્રસ્ત જોવા મળી રહી છે જ્યારે જે પશુ લંપી ગ્રસ્ત છે તેને દશ દિવસ ટ્રીટમેન્ટ કરાવવા છતાં મરણ પામે છે અને પશુ પાલકો પાયમાલ થઈ રહયા છે જ્યારે કોઈ દેશી ઉપચાર કરવાથી તે ક્યાંક ક્યાંક કારગર નિવડે છે અને પશુ ને મોત ના મુખ માંથી બચાવવા માં આવે છે ત્યારે આ વાયરસ એટલી હદે ફેલાઈ ચુક્યો છે કે તેને કાબૂ કરવો પણ અશક્ય હોય તેવું જણાઈ આવે છે અત્યારે બનાસકાંઠા ના ત્રણ તાલુકા વાવ, થરાદ, સુઈગામ, વિસ્તારમાં કોઈ ગામ એવું નથી જ્યાં આ વાયરસ જોવા ન મળે અત્યારે પશુ પાલકો ની ભગવાન કસોટી કરતો હોય તેવું લાગી રહ્યું છે જ્યારે રેઢિયાળ રખડતાં પશુઓને પણ વાયરસે તેની જપટ માં લિધા છે જેમને પણ ગામ લોકો ગામેગામ જીવદયા પ્રેમીઓ સારવાર કરી રહ્યા હોવા છતાં કોઈ પાકો ઈલાજ આ વાયરસ નો મળતો નથી તો બીજી બાજુ લોકો દેવી દેવતાઓની બાધા આખડી માનતા ઓ રાખી ને શ્રધ્ધા રાખી ને ગાયો બચી જાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે જે કારગર નિવડે છે તેવું જાણવા મળ્યું છે જ્યારે અત્યારે તો મોટા ભાગે કોઈક ગામમાં કોઈક પશુ લંપી ગ્રસ્ત થી પીડીત નહીં હોય તેવું લાગી રહ્યું છે ત્યારે જ્યાં જાઓ ત્યાં ગાય,આખલા,નાના વાછરડા,પણ લંપી ગ્રસ્ત જોવા મળે છે અને જે પશુ મરણ પામે તેને જે. સી. બી. મશીન દ્વારા જમીન માં દાટી દેવા માં આવે છે જેથી નવો કોઈ રોગ ન ફેલાય તે માટે કાળજી રાખવામાં આવી રહી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *