લમ્પી વાયરસથી અત્યાર સુધીમાં 1,200 થી વધુ પશુઓના મોત,રાજ્ય સરકારે પશુ મેળાઓ પર પ્રતિબંધ મૂકી સર્વે , સારવાર અને રસીકરણને વધુ સઘન બનાવ્યું

ગુજરાતના 33 માંથી 17 જિલ્લામાં અત્યાર સુધીમાં 1,200 થી વધુ પશુઓના જીવલેણ લમ્પી સ્કીન ડિસીઝને કારણે મોત થયા છે . અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે પરિસ્થિતિને જોતા રાજ્ય સરકારે પશુ મેળાઓ પર પ્રતિબંધ મૂકી સર્વે , સારવાર અને રસીકરણને વધુ સઘન બનાવ્યું છે . સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસે કહેર વર્તાવ્યો છે . રાજકોટમાં લમ્પીના કારણે અનેક પશુના મૃત્યુ થયા છે . વધુમાં ભુજ રાજકોટની માફક જામનગરમાં પણ પશુ મોતના ઢગલા જોવા મળી રહ્યા છે . લમ્પીની મોતના મુખમાં ધકેલાયેલ ગૌવંશના મૃતદેહના કાલાવડમાં ઢગલા જોવા મળી રહ્યા છે . જેથી લોકોમાં આક્રોશ ફેલાયો છે . રાજકોટને નિયંત્રિત જાહેર કરી રોગને ફેલાતો અટકાવવા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે . જેમાં અન્ય રાજ્યો અને જિલ્લાઓમાંથી પશુઓની હેરફેર પર પ્રતિબંધ , તથા પશુઓના વેપાર , પશુમેળા અને પશુ પ્રદર્શન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે . સાથે ચેપી રોગવાળા પશુઓને જાહેરમાં ખુલ્લા મુકવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે . પોલીસ કમિશનરના આ જાહેરનામાનો 21 ઓગસ્ટ સુધી અમલ કરવાનો રહેશે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *