થરાદ વાવ સુઇગામ પંથકમાં એવા સરહદી વિસ્તારમાં લંમ્પી વાયરસ બીમારીમાં ભોગ બનેલી ગાયોને સારવાર થરાદ વાવ સુઇગામ પંથકમાં આવેલી ગૌશાળાઓ તેમજ રસ્તે રખડતી બિનવારસી પીડિત ગાયોને સારવાર અર્થે મદદ કરવા સેવાનું કાર્ય કરવા બીડું ઝડપ્યું છે આજે ભાપી ગોશાળા મા મહંત આકીત પુરી બાપુ ની હાજરી મા લક્ષ્મી બેન ઠાકોર દ્વારા ગાય માતા ને લાડુ ખવરાવા મા આવ્યા હતા જેમા મહંત શ્રી અકીત પુરી બાપુ એ લક્ષ્મી બેન ના આ કાર્ય બિરદાયુ હતુ ઉલ્લેખનીય છે કે સરહદી પંથકમાં ગાયોને લંમ્પી વાયરસ બીમારી પ્રસરી જતાં ગૌવંશ મોટા પ્રમાણમાં મોતને ભેટી રહ્યું છે જેમાં સ્થાનિકો દ્વારા અનેક પ્રકારના પ્રયાસો હાથ ધરી ગૌવંશને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે લક્ષ્મી બેન ઠાકોર દ્વારા ગૌવંશ ઉપર આવી પડેલ કુદરતી આફતી સમયે ગાયો તરફીનો પ્રેમ દાખવી ઔષધી લાડુ તેમજ મેડિકલ પીડિત ગાયોની સારવારમાં જોડાઈ સેવા કરવાનો પ્રેમ દાખવતાં સ્થાનિક લોકો આભાર વ્યક્ત કરી રહ્યા છે તેમજ આ કુદરતી આફત ને સરકારે જેમ કોરના વાઇરસ ને કન્ટ્રોલ કર્યો એવી આ અબોલ પશુઓ ને લમ્પી નામના રોગ માંથી બચાવે તેવી ઉગ્ર માંગ કરી