દિયોદર તાલુકાના પ્રેમનગર ( કોતરવાડા) ગામે પ્રેમનગર દુધ ઉત્પાદક સેવા સહકારી મંડળીના મંત્રી પથુજી ઠાકોરના ફાર્મ હાઉસ ઉપર આઝાદીના અમૃત મહોત્સવ તેમજ એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી આત્મા યોજના બનાસકાંઠા મારફત વર્ષ ૨૦૨૨/૨૩ કિશાન ગોષ્ઠિનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દિયોદર તાલુકા બ્લોક ટેકનોલોજી મેનેજર રાજેન્દ્રભાઈ સોલંકી નાગજીભાઈ સુથાર અમરાભાઈ પટેલ ગોરામભાઈ ચૌધરી વગેરે ઉપસ્થિત રહીને ખેડૂતોને કૃષિ લક્ષી યોગ્ય માર્ગદર્શન આપી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અને તેના ફાયદાઓ,સરકારી યોજનાઓ તેમજ દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતીની પદ્ધતિ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમા પ્રેમનગર /કોતરવાડા,નેસડી, ફુલપુરા, ચીભડા,રામપુરા વગેરે ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજર રહી કિશાન લક્ષી માર્ગદર્શન મેળવ્યું હતું ત્યાર પછી સૌએ સમુહ ભોજન પણ લીધું હતું.