આજરોજ સવારના સમયમાં કંસારી પ્રાથમિક શાળાના બાળકને શાળામાં આવતા રસ્તામાંથી ઉપાડી જવાની ઘટના કંસારી ગામના એક નાના બાળક દ્વારા જાણવા મળી હતી.જેથી શાળા સંચાલક મંડળ દ્વારા આ અંગે શાળામાં ગેરહાજર બાળકોના વાલીઓને ફોન કરીને તપાસ શરૂવાત કરી હતી.આ ઘટનાની જાણ વાયુવેગે ગામમાં પ્રસરતા ગામમાં પણ બાળકોને લઈ ભય જોવા મળ્યો હતો.જે બાદ ગામનાં સરપંચ શ્રી,ડેપ્યુટી સરપંચ-ચૌધરી ખેંગારભાઈને આ ઘટનાની જાણ થતાં તેઓએ તાત્કાલિક ડીસા તાલુકાના પોલીસના પી.આઈ એમ.જે..ચૌધરીને જાણ કરી હતી.જેથી આ ઘટનામાં તપાસ માટે પી.આઈ દ્વારા તાત્કાલિક ઝેરડા પોલિસ સ્ટાફ,ના પરેશભાઈ તમેજ પોલીસ સ્ટાફને જાણ કરતા તેઓ પણ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી તપાસના દોર શરૂ કર્યા હતા.જે બાદ પોલીસ તપાસમાં આવી કોઈ જ ઘટના બની ન હતી તેવું જાણવા મળ્યું હતું. આ ઘટનામાં SMC કમિટી, શાળાના આચાર્યશ્રી, શિક્ષક સ્ટાફ ગામના આગેવાનો, યુવાનમિત્રો વગેરેના સહયોગથી ગેરહાજર બાળકોના વાલીજનો માં સઘન તપાસ કરતાં માલુમ પડ્યું, કે શાળાના દરેક બાળકો સહી સલામત છે… કોઈજ અજુગતી ઘટના બનેલ નથી. પરંતું જે ધોરણ-3 ના બાળકની મીસગાઇડ (અણસમજ)ના કારણે થયું હતું.