- કંગના રનૌતની ચંદીગઢથી મુંબઈ ફ્લાઈટમાં સુરક્ષા અને સોશ્યલ ડિસ્ટન્સિંગ સંબંધી પ્રોટોકોલના કથિત ઉલ્લંઘનનો મામલે સામે આવ્યો હતો.
નવી દિલ્હી: ગત દિવસોમાં કંગના રનૌત ચંદીગઢથી મુંબઈ ઈન્ડિગોની ફ્લાઈટમાં આવી હતી. તે સમયે નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું બહાર આવ્યું હતું. સુરક્ષા અને સોશ્યલ ડિસ્ટન્સિંગ સંબંધી પ્રોટોકોલનું કથિત ઉલ્લંઘન થયાના આરોપો લાગ્યા હતા. તે પછી ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ આદેશ આપ્યો હતો કે, ફ્લાઈટમાં પહેલેથી મંજૂરી લીધા વિના ફોટા પાડી શકાશે નહીં. પ્લાન ટેક ઓફ, લેન્ડિંગ અને કોઈ ડિફેન્સની જગ્યાએ ઊભો રહવા દરમિયાન ફોટો પાડવાની મંજૂરી નહીં મળે. હવે, નિયમમાં થોડો ફેરફાર કરતા ડીજીસીએએ નવો આદેશ આપ્યો છે. નવા આદેશ મુજબ, પ્લેનમાં સેલ્ફી લઈ શકાય છે. કોઈ મુસાફર ફોટો ખેંચી શકે છે અને વિડીયો બની શકે છે. તે ફ્લાઈટ દરમિયાન, ટેક ઓફના સમયે કે લેન્ડિંગ સમયે ફોટો લઈ શકે છે. જોકે, તેણે એવા કોઈપણ ઈક્વિપમેન્ટનો ઉપયોગ કરવાની મંજૂરી નથી, જ રેકોર્ડિંગ કરે છે. એવી કોઈ ડિવાઈસ ઉપયોગ નહીં કરી શકાય, જેનાથી ભીડ થાય, લોકોની સુરક્ષાને ખતરો હોય કે ફ્લાઈટ ખતરામાં પડી જાય
શું હતો કંગનાનો મામલો?
ડીજીસીએને ઈન્ડિગોની બુધવારની ચંદીગઢ-મુંબઈની એક ઉડાનમાં સુરક્ષા અને સોશ્યલ ડિસ્ટન્સ સંબંધી પ્રોટોકોલના કથિત ઉલ્લંઘનની જાણ થઈ હતી, જેમાં એક્ટ્રેસ કંગના રનૌતે પણ મુસાફરી કરી હતી. તે પછી ડીજીસીએએ શુક્રવારે ઈન્ડિગોને ‘યોગ્ય કાર્યવાહી’ કરવા કહ્યું હતું. બુધવારે પ્લેનની અંદરના ઘટનાક્રમના એક વિડીયો મુજબ, પત્રકારો અને કેમેરામેન રનૌતની પ્રતિક્રિયા લેવા માટે ધક્કામુક્કી કરતા અન ભીડ કરતા જોવા મળ્યા. ડીજીસીએએ શનિવારે પોતાના આદેશમાં કહ્યું હતું કે, ‘નિર્ણય લેવાયો છે કે, હવેથી કોઈ પસેન્જર પ્લેનમાં આ પ્રકારનું કોઈ ઉલ્લંઘન થાય છે, તો એ માર્ગ પર ફ્લાઈટને આગામી દિવસથી બે સપ્તાહ માટે પ્રતિબંધિત કરી દેવાશે.’
એક્ટ્રેસ કંગના રનૌતના મામલે ડીજીસીએએ કડક વલણ બતાવ્યું છે. તેનું કહેવું છે કે, જો કોઈ ફ્લાઈટમાં એરક્રાફ્ટ રુલ્સ 1937ના રુલ્સ-13નું ઉલ્લંઘન કરશે તો તે રૂટ પર ફ્લાઈટના શેડ્યુલને બે સપ્તાહ માટે સસ્પેન્ડ કરી દેવાશે. આ નિયમ ફ્લાઈટમાં વિડીયોગ્રાફી તેમજ ફોટોગ્રાફી સાથે જોડાયેલો છે. ફ્લાઈટમાં કંગના રનૌતનો વિડીયો પણ વાયરલ થયો હતો.
ઈન્ડિગો પાસેથી માગ્યો હતો રિપોર્ટ