હિન્દૂ ધર્મ ભક્તિ શક્તિ અને આસ્થાનું એક અનેરું મહત્વ રહેલું છે.ખાસ કરીને દર વર્ષે હિન્દૂ ધર્મમાં અનેક વ્રતોની ઉજવણી કરવામાં આવતી હોય છે. હિન્દુ ધર્મમાં વ્રતોની ઉજવણી પાછળ અનેક દંત કથાઓ રહેલી છે જેમાં જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે, આ વ્રત અષાઢ સુદ તેરસથી શરૂ થાય છે અને પાંચ દિવસ ચાલે છે. આ વ્રતના ભોજનમાં મીઠું વર્જિત મનાય છે. વ્રતના અંતમાં આખી રાતનું જાગરણ કરી કુમારિકાઓ વ્રતનું સમાપન કરે છે, આ વ્રત કુમારિકાઓ અને સૌભાગ્યવતિ સ્ત્રીઓ ઓછામાં ઓછા પાંચ વર્ષ અને વધુમાં વધુ વીસ વર્ષ સુધી કરે છે. આ વ્રતને ગણગૌર, મંગલાગૌરી અને સૌભાગ્ય સુંદરી વ્રત પણ કહેવામાં આવે છે. પૌરાણિક માન્યતા મુજબ આ વ્રતથી અખંડ સૌભાગ્યવતિનું વરદાન પ્રાપ્ત થાય છે. તથા બાળકોના આરોગ્યની વૃદ્ધિ થાય છે. આ વ્રત સૌ પ્રથમ માતા પાર્વતીએ શિવજીને પ્રાપ્ત કરવા કર્યું હતું ને ત્યારબાદ માતા સીતાએ માતા પાર્વતીની પૂજા કરી ‘જય જય ગિરીબર રાજ કિશોરી’ પ્રાર્થનાથી મનગમતા વરની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરી હતી, અને માતા પાર્વતી એ પ્રસન્ન થઈ મનગમતા વરનું વરદાન આપ્યું હતું.જે અંતર્ગત આજે ડીસાના આસેડા ગામે આજે બાલિકાઓ અને કુમારી કન્યાઓ દ્વારા જયા પાર્વતીના વ્રતની ભગવાન શિવજીના મંદિરે પૂજા અર્ચના કરે ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષે ઉજવાતા આ વ્રતને લઈ આ વર્ષે પણ આસેડા ગામે આવેલ શિવજીના મંદિરે મોટી સંખ્યામાં બાલિકાઓ પૂજા અર્ચના કરવા માટે પહોંચતા મંદિર ભક્તિમય બન્યું હતું.