યે હૈ ન્યુઝ ઈન્ડિયા :સુઈગામ કોરોના મહામારીનું સંક્રમણ વધતાં હાલની પરિસ્થિતિ વિકટ બની ગઈ છે,શહેરોની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે,ઠેરઠેર કોરોના કેર સેન્ટરો ઊભાં કરી કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરાઈ રહી છે,ત્યારે સુઇગામ તાલુકાના મોરવાડા ગામમાં ગ્રામપંચાયત દ્વારા પ્રાથમિક શાળામાં 10 બેડ સાથે આઇસોલેશન વોર્ડ શરૂ કરાયો છે,ગામમાં સંક્રમીત દર્દીઓની સંખ્યા વધતી જાય છે,જેમના પરિવાર ના અન્ય સભ્યો સંક્રમિત ના થાય તે માટે પરિવારજનોથી દૂર આ આઇસોલેશન વોર્ડમાં આરામ મેળવે એ હેતુથી સરપંચ વિક્રમભાઈ ચાવડા અને તલાટી નિલેશભાઈ ચૌધરી દ્વારા આઇસોલેશન વોર્ડની શરૂઆત કરાઈ છે,