બનાસકાંઠા જિલ્લામાં શૌચાલય કૌભાંડ ખરેખર શરમજનક છે. આ કૌભાંડમાં કાગળ પર બનેલા શૌચાલય ખરેખર અસ્તિત્વમાં જ નથી. ત્યારે આખરે જનતાએ જાગૃત બનીને આ અંગે જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરતાં જિલ્લા વિકાસ અધિકારી ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગામમાં બનેલા શૌચાલયની તપાસ ના આદેશ આપ્યા બાદ આજે જિલ્લા વિકાસ અધિકારી સ્થળ પર જઈ આજે જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું… કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘરે ઘરે શૌચાલય અને વ્યક્તિગત શૌચાલય બનાવવામાં ગુજરાત દેશમાં મોખરે હોવાની ગુલબાંગો પોકળ પૂરવાર થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગામમાં શૌચાલય બનાવવાની આ કામગીરીમાં મસમોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ ઉઠતાં તંત્ર સફાળું જાગ્યું છે અને ગેનાજી ગામમાં બનેલા શૌચાલયન તપાસના આદેશ અપાયા હતા. એટલું જ નહીં તપાસમાં ગેરરીતિ જણાતા જવાબદાર કર્મચારી-અધિકારીઓ સામે આકરાં પગલાં ભરવાની પણ જિલ્લા વિકાસ અધિકારીએ સૂચના આપવાની ફરજ પડી છે.આ આદેશને પગલે ગેનાજી ગોળીયા ગ્રામ પંચાયતના તલાટી સરપંચ અને સખી મંડળ ના કર્મચારીઓ-અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. જેના પગલે ગેનાજી ગોળીયા ગ્રામ પંચાયતમાં આજ રોજ જિલ્લા વિકાસ અધિકારી વિઝીટ કરવાની હોઈ જેના પગલે તમામ કૌભાંડ છુપાપવા સરપંચ તલાટી અને