ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લંપી ગ્રસ્ત ગાયોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે રોજેરોજ વધતા જતા ગાયોમાં વાયરસના કારણે અત્યાર સુધી અસંખ્ય ગયો મોતને પણ પેટી ચૂકી છે વધતા જતા લંપી વાયરસના કહેરના કારણે પશુપાલકોને પણ પોતાની ગાય મોતને ભેટતા મોટું નુકસાન વેચવાનો વારો આવે છે જિલ્લા વહીવટી તંત્ર પણ પશુઓમાં વધતા જતા લંપી વાયરસને અટકાવવા માટે વેકશીન આપવાની શરૂવાત કરી છે તેમ છતાં પણ સતત પશુઓમાં સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે હવે થેરવાડા ગામના યુવકોએ લંપી વાયરસ થી પીડિત પશુઓને બચાવવા માટેનું અભિયાન શરૂ કર્યું છે અને લંપી ગ્રસ્થ પશુઓને આયુર્વેદિક દવાઓ આપવાની શરૂવાત કરી છે.

તે ઉપરાંત પણ થેરવાડા ગામના યુવાનો દ્વારા લંપી ગ્રસ્ત ગાયોને બચાવવા માટે જાતે જ થેરવાડા ગામમાં આવેલ સ્માશનભૂમિ ખાતે 150 જેટલી ગાયોને લાવી સારવાર આપવાની શરૂવાત કરી છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે સતત લંપી વાયરસ થી પશુના મોત થઈ રહ્યા છે તેને બચાવવા માટે આ યુવાનોએ એક સેવાકીય અભિયાન શરૂ કરતા લોકો પણ તેમની આ સેવાને બિરદાવી અને તેમના આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે અને વધુમાં વધુ પશુઓ બચે તે માટે સેવા કરી રહ્યા છે