બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલા મોટા ગામનો ઇતિહાસ ખૂબ જ સુવર્ણ છે.. આ ગામના ૧૦૦થી વધુ યુવાનો સરહદ પર ફરજ બજાવી દેશ સેવાનું કાર્ય કરી રહ્યા છે.. પરંતુ તાજેતરમાં આ ગામમાં દલિત સમાજના યુવકના લગ્નને લઈ આ ગામ પર બદનામીનું કલંક લાગ્યું છે.. એકતાની મિસાલ માનવામાં આવતા મોટા ગામમાં રાજપૂત સમાજ અને દલિત સમાજ આમને સામને આવી ગયા છે.. મોટા ગામમાં રહેતા સુરેશભાઇ સેખલિયા ઇંડિયન આર્મીમાં હવિલદાર તરીકે ફરજ બજાવે છે અને તેમના નાના ભાઈ અતુલ સેખલિયાના લગ્ન હોવાથી સુરેશભાઇના પરિવાર દ્વારા અતુલનો વરઘોડો ઘોડી પર નિકાલવાનું નક્કી કરવામાં આવ્યું હતું.. પરંતુ આ વાતની જાણ ગામ લોકોને થતાં ગ્રામજનોએ રવિવારે બેઠક બોલાવીને સુરેશને ઘોડી પર વરઘોડો ન નિકાળવાનું જણાવ્યુ હતું.. આ અગાઉ સુરેશે તેમના ગામમાં ઘોડી પર વરઘોડો નીકળે તો શાંતિ સુલેહ જોખમાય તેવી સ્થિતિ હોવાથી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા સમક્ષ પર પોલીસ બંદોબસ્તની માંગણી કરી હતી.. પરંતુ ગ્રામજનોએ સુરેશને ઘોડી પર વરઘોડો ના નિકાલવાનું જણાવતા સુરેશ અને તેના પરિવારજનો માની ગયા હતા.

પરિવાર દ્વારા ઘોડી પર વરઘોડો નિકાલવાનું ટાળ્યું હતું.. અને સોમવારે જ્યારે અતુલની જાન જોડવામાં આવી ત્યારે વરરાજના પરિવારના કેટલાક સભ્યોએ સાફા પહેર્યા હતા.. જેને લઈ મોટા ગામના કેટલાક લોકોએ ઉશ્કેરાઈ ગયા હતા અને જાન પર પથરાવ ધટના સામે આવી કર્યો હતો.. આ પથરાવમાં વરરાજના પરિવારના એક સભ્યને પગના ઢીંચણના નીચેના ભાગે ઇજા પહોંચી હતી.. જેથી મામલો થાળે પાડવા માટે ગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી અને મામલને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.. અને શાંતિ સુલેહ જળવાઈ રહે તે માટે બે શખ્સોની અટકાયત કરી ૨૮ લોકો વિરુધ્ધ એટ્રોસીટી એક્ટ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..
આમ મોટા ગામમાં દલિત સમાજ અને રાજપૂત સમાજ વચ્ચે સર્જાયેલા આ ઘર્ષણ પાછળ લગ્નના રીતિ રિવાજ જવાબદાર છે.. દલિત સમાજના સુરેશભાઇ સેખલિયા દ્વારા તેમના નાના ભાઈના લગ્નમાં ઘોડી લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારેથી જ મોટા ગામમાં તેનો વિરોધ શરૂ થઈ ગયો હતો અને મોટા ગામમાં આ ઘટનાના વિરોધમાં સોસિયલ મીડિયામાં સ્ટેટ્સ વાઇરલ થઈ રહ્યા હતા.. પરંતુ ગામના આગેવાનો દ્વારા સુરેશ સેખલિયાને ઘોડી પર જાન ન કાઢવાનું જણાવતા આખરે ઘોડી પર જાન નિકાળવાનું સુરેશ અને તેના પરિવારજનોએ મોકૂફ રાખ્યું હતું.. અને અંતે જ્યારે જાન જોડવામાં આવી ત્યારે સુરેશના પરિવારના સભ્યો દ્વારા સાફો પહેરવામાં આવતા થયેલા પથ્થરમારાને લીધે મોટા ગામમાં શાંતિ ડહોલાઇ છે.. ત્યારે આજે એકવીસમી સદીમાં પણ મોટા જેવા શિક્ષિત ગામમાં આવી ઘટના બને તે શરમજનક બાબત છે..