રાજ્યમાં ભાજપના 27 વર્ષના કુશાસનમાં મંદી, ભ્રષ્ટાચાર મોંઘવારીથી ત્રસ્ત પ્રજાને જાગૃત કરાશેઃ અમિત ચાવડા

રાજ્યમાં ભાજપના 27 વર્ષના કુશાસનમાં મંદી, ભ્રષ્ટાચાર મોંઘવારીથી ત્રસ્ત પ્રજાને જાગૃત કરાશેઃ અમિત ચાવડા મિશન 2022 અંતર્ગત લોકસંપર્ક કરી લોકોના પ્રશ્નોને વાચા આપવામાં આવશે પરિવર્તન જોડો યાત્રા દ્વારા 42 વિધાનસભાની સીટો પર જઇ ભાજપાની નિષ્ફળતાને ઉજાગર કરાશે તા. 24 જુલાઇના રોજ નડિયાદ ખાતે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મધ્ય ગુજરાત ઝોનના પ્રભારી ઉષા નાયડુ તથા પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. જેમાં કોંગી સભ્યો દ્વારા આગામી ચૂંટણીને લઇને ચર્ચા કરવામાં આવી હતી. તથા આવનારા મિશન 2022 અંતર્ગત લોકોના ઘરે જઇને તેમના પ્રશ્ર્નોને વાચા આપવાનો સંકલ્પ કર્યો હતો. સમગ્ર મધ્ય ગુજરાત ખાતે ઓગસ્ટ મહિનાથી ફાગવેલ ગામથી પરિવર્તન ભારત જોડો યાત્રાની શરૂઆત કરવામાં આવશે. આ યાત્રા દરમ્યાન મધ્ય ગુજરાતની 42 વિધાનસભાની સીટો પર જઇ ભાજપાની નિષ્ફળતાઓને ઉજાગર કરી તેનો હલ લાવવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે. તથા મિશન 2022ના વિઝનથી લોકોને વાકેફ કરવામાં આવશે તેમ પૂર્વ પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું. ઉપરાંત બુથ ચલો અભિયાન, ગાંવ ચલો અભિયાનના માધ્યમથી કોંગી કાર્યકરો દ્વારા ભાજપના કુશાસનમાં ભ્રષ્ટાચાર અને ખેડૂતો પાયમાલ હોઇ ત્રાહિમામ પ્રજામાં જાગૃતિ લાવવાના પ્રયાસ કરવામાં આવશે. આ સભામાં જિલ્લાના તમામ ધારાસભ્યો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ માલ સિંહ રાઠોડ, જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ સુધાબેન ચૌહાણ, દિનેશ રાઠોડ, અયૂબ પઠાણ, ગોકુલ શાહ તથા મોટી સંખ્યામાં જિલ્લાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *