દિયોદર તાલુકાના સણાદર ગામે ખેડૂતના ખેતરમાં જેટકો કંપની દ્વારા કોઈ પણ જાતનું વળતર ચૂકવ્યા વગર વીજ પોલ ઉભા કરાતા ખેડૂતે વિરોધ દર્શાવ્યો હતો. જ્યાં જેટકો કંપની ના અધિકારી સહિત પોલીસ કાફલા સાથે આવી પહોંચ્યા હતા. જ્યાં ખેડૂતે વીજ પોલ ઉભા કરવાનું ના પાડતા બળજબરી પૂર્વક સરકારના આદેશ પ્રમાણે કામ થશે એવું જણાવી વીજ પોલ ઉભા કરવામાં આવ્યા હતા. જ્યાં ખેડૂતે વિરોધ દર્શાવ્યો હતો.ત્યારે ખેડૂત દ્વારા ખેડૂત આગેવાનને જાણ કરાતા જ્યાં ઘટના સ્થળે ખેડૂતો દોડી આવી અધિકારીઓ ને સમજાવ્યા હતા. પણ અધિકારીઓ સરકાર દ્વારા યોગ્ય વળતર મળશે એવું રટણ કર્યું હતું. જ્યાં અધિકારીએ ખેડૂતો ને ન્યાય આપવાની જગ્યાએ ખેડૂતોના અવાજ સાંભળીને મિડિયા ખોટા અહેવાલ પ્રસિદ્ધ કરી મિડિયા સામે આક્ષેપ કર્યો હતા.

ખેડૂતોએ પણ મિડિયા સામે ના અધિકારીના આક્ષેપ સામે ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે ચકમક ઝરી હતી. જ્યાં ખેડૂત આગેવાનો સહિત ખેડૂતોએ દિયોદર જેટકો અધિકારી કે આરમકવાણા દ્વારા મિડિયા પર આક્ષેપ કરાતા ખેડૂતો એ મિડિયા ના અહેવાલો અને ખેડૂતો નો અવાજ સરકાર અને તંત્ર સુધી પહોંચાડતા દેશની ચોથી જાગીરી સામે કરેલા આક્ષેપો નું ખંડન કર્યું હતું. જ્યાં સત્યને બહાર લાવનાર મિડિયા સામે મનમાની અધિકારીઓ સામે વિરોધ કર્યો હતો. જેટકો કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં ગરીબ નાના ખેડૂતોની જમીનનું વળતર ના ચૂકવાતા ચૂકવાતા આખરે ખેડૂત મિડિયા નો સહારો લેવો પડે છે. જ્યાં ખેડૂતોની વેદના મિડિયા ઉજાગર કરે છે. એ એમની સામે પાયા વગર ના આવા અધિકારીઓ ના આક્ષેપો નો વિરોધ કર્યો હતોજ્યાં મિડિયા પણ અધિકારીઓ સાથે એમની રજૂઆત સાંભળી હતી.ત્યારે ખેડૂત દ્વારા પણ જેટકો કંપની દ્વારા કોઈ પણ વળતર અને ખેડૂત ના ખેતરમાં મન ફાવે એ રીતે પોલીસ કાફલા સાથે પોલ ની કામગીરી શરૂ કરાતા વિરોધ કર્યો હતો. પણ સરકાર દ્વારા જેટકો કંપની દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે એ દિશામાં યોગ્ય કરવું જોઈએ એવી ખેડૂતો ની માંગ ઉઠી છે.