દિયોદર ના મખાણું ગામે મહિલાઓ નાના ભૂલકાઓ અને યુવાનો શેરી ગરબાના તાલે ઝૂમી ઊઠ્યા

હાલ ચાલી રહેલ નવરાત્રી માં દિયોદર ના ગ્રામીણ વિસ્તારો માં દરેક શેરી માં શેરી ગરબા નું આયોજન કરવા માં હતું, જેમ મખાણું ગામે આજે પણ જૂની પરંપરા અનુસાર સાદી રીતે ગરબી રમવામાં આવે છે અને માં અંબા ની આરતી ઉતારી અને નાના ભૂલકાં બલિકાઓ અને મહિલાઓ અને યુવાનો ગરબી રમી ગરબા નો આનંદ માણ્યો હતો

યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :દિયોદર (લલિત દરજી)

દિયોદર ના મખાણું ગામે નવરાત્રી દરમિયાન નવ દિવસ માતાજીના ગરબા ગાવાનો તેમજ પોતાના ઘરમાં મંદિર માં કુળદેવી ના મઢમાં પૂજા-અર્ચના કરી ગરબા રમવાનું અને ગાવાનું આયોજન કરવા માં આવે છે આ નવ દિવસ માતાજીની અલગ-અલગ શણગાર સજાવા માં આવે છે જયારે આ છેલ્લા બે વર્ષથી કોરોનાની મહામારી ના કારણે નવરાત્રિના ગરબા બંધ રાખવામાં આવ્યા હતા ત્યારે આ વર્ષે સરકાર ની ગાઈડલાઈન મુજબ શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે ત્યારે દિયોદર ગ્રામીણ વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવાન મિત્રો દ્વારા ગરબી મંડળ દ્વારા દુર્ગા માતાની એક મંદિર માં જગત જનની જગતમ્બા ની ફોટો મૂકી પૂજા-અર્ચના કરી ગરબીની શરૂઆત કરવામાં આવી હતી અંબે માં ના દર્શન કરવા ગામ લોકો ઉમટી પડ્યા હતા ત્યારે મખાણું ગામ ના વિસ્તારના લોકો દ્વારા પણ ગામ ના ચોકમાં એકસાથે થાળી માં દીવો પ્રગટાવી માતાજીની આરતી ઉતારી હતી અને શેરી ગરબાનો અનેરો આનંદ લીધો હતો આ રીતે નવદુર્ગા માતાજી ની નવ દિવસ સુધી આરતી ઉતારવામાં આવે છે અને પ્રસાદ રૂપે નવ દિવસ અલગ-અલગ નાના-મોટા બધાની પસંદ આવે તેવી પ્રસાદી આયોજન કરવામાં આવે છે જ્યારે મખાણું ગામે ગામ લોકો બધા સાથે મળીને આયોજન કરે છે અને હર્ષોલ્લાસ સાથે નવ દિવસ નાના ભૂલકા મહિલાઓ અને કુવારિકા અને યુવાન મિત્રો ગરબી રમી નવરાત્રીની ધૂમ મચાવે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *