લ્યો અંબાજીમાં સાહેબે પાન મસાલા ની મોજમાં રહી દબાણો દૂર કર્યા

સાહેબને એ ન દેખાયું તાજેતરમાં બનેલાં આરસીસી રોડમાં કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે રોડ પર ના ખાડા ન દેખાય પણ દબાણ દેખાયું

આવનાર ભાદરવી પૂનમ નો મહામેળો અંબાજી ખાતે યોજનાર છે. 5 સેપ્ટેમ્બર થી 10 સેપ્ટેમ્બર સુધી યોજનાર મહામેળામાં લાખો ની સંખ્યા માં માઇભક્તો અંબાજી ખાતે આવશે. લાખો ની સંખ્યા માં આવનાર માઇભક્તો ને કોઇપણ જાત ની મુશ્કિલી ના પડે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા વિવિધ પ્રકાર ની સુવિધાઓ ઉભી કરવા માં આવી છે. આજે અંબાજી ના હાઇવે માર્ગો પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા માં આવ્યા હતા. આર.એનબી સ્ટેટ દ્વારા આવનાર મહામેળામાં લાખો ની સંખ્યા માં માઇભક્તો ને ધ્યાને લઇ હાઇવે પર ના દબાણો દૂર કરવા માં આવ્યા. અંબાજી ખેડબ્રહ્મા હાઇવે રોડ , અંબાજી પાલનપુર હાઇવે રોડ અને અંબાજી આબુરોડ હાઇવે રોડ પર ના દબાણો તંત્ર દ્વારા દૂર કરવા માં આવ્યા છે.

અંબાજી હાઇવે પર ના દબાણો અમુખ દુકાનદારો સ્વૈચ્છિક દબાણ હટાવા ની કામગીરી હાથ ધરી હતી તો અમુખ દુકાનદારો આગળ કરેલા દબાણો ને જેસીબી ના મદદ થી તોડી ગેરકાયદેસર દબાણ ને દૂર કરવા ની કામગીરી હાથ ધરાઈ હતી. અંબાજી માં હાઇવે પર ના દબાણ દૂર કરવા ની કામગીરી કરવામાં આવી હતી અને અંબાજી ગબ્બર સર્કલ સુધી આરસીસી રોડ બનાવ્યા ના હજુ ગણતરીના દિવસોમાં જ રોડનાં ઠીંગડા મારવામાં આવ્યા હતા તને લઇ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પર અનેક સવાલો ઉઠી રહી છે જ્યારે તંત્રને રોડના ખાંડા નહીં દેખાતા અને ગામના દબાણો દેખાઈ રહ્યા છે કેમ જવાબદારી અધિકારીઓ તાજેતરમાં બનેલાં આરસીસી માં ભ્રષ્ટાચાર વિષય કેમ આંખ આડા કાન રાખે છે ગામના દબાણો દેખાઈ રહ્યા છે પણ ગામમાં ખાંડા કેટલાં છે રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે તે કેમ ન દેખાયું તેને લઈને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *