અગ્નિપથ યોજના ને લઈને દેશ ના અનેક રાજ્યો માં કોંગ્રેસ સહીત વિદ્યાર્થીઓ આક્રમક મુડ જોવા મળ્યા હતા દેશનો યુવા વર્ગ મહેનત કરી લશ્કરમાં જોડાવવાની તૈયારી કરતો હોય અને તેને ચાર વર્ષ નોકરી બાદ બીજી કોઈ નોકરી કે કોઈ જાતનું પેન્શન વગર ફરજીયાત નિવૃત્ત થવું પડે તે દેશના યુવા વર્ગના જીવન સાથે ખીલવાડ તેમજ મજાક ઉડાવાઇ રહ્યો છે, દેશના યુવાનો 18 થી 22 વર્ષની ઉંમરે પોતાની કરિયર બનાવા નીકળતો હોય ત્યારે અગ્નિપથ જેવી યોજનાથી યુવાનીમાં યુવક બેકાર થઈ જાય તે દેશના યુવાનો માટે ક્રુર મશ્કરી છે તેમજ આ યોજના અંતર્ગત કોઈ પેન્શન ન મળે અને બેકાર થઈ જાય તો યુવાઓના ઘર સંસાર અને તેમના સંતાનોનું ભવિષ્ય જોખમમાં મુકાઈ જાય તેવું લાગી રહ્યું છે તેવું આવેદનપત્ર થરાદ કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને પાઠવવા માં આવ્યું હતું .અને સરકાર વિરુધ ના સુત્રોચાર કરી ઉપરોક્ત દરેક વાતોને સરકાર ગંભીરતાથી લઇ અગ્નિપથ યોજના બંધ કરે તેવી માંગણી થરાદ કોંગ્રેસ સમિતિ દ્વારા કરાઈ હતી