અમદાવાદ શહેર જિલ્લામાં કોરોનાએ ઉથલો માર્યા બાદ હવે કેસ ઘટવા લાગ્યા છે. 24 કલાકમાં શહેર અને જિલ્લામાં કુલ 182 નવા કેસ નોંધાયા છે. જ્યારે 2 દર્દીના મોત થયા છે. તેમજ કુલ 207 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 6 નવેમ્બરની સાંજથી 7 નવેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 161 અને જિલ્લામાં 21 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 2 દર્દીના મોત થયા છે. તેમજ શહેરમાં 189 અને જિલ્લામાં 18 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 43,579 થયો છે. જ્યારે 38,837 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 1,917 થયો છે.