અમદાવાદ શહેર જિલ્લામાં કોરોનાએ ઉથલો માર્યા બાદ હવે કેસ ઘટવા લાગ્યા

અમદાવાદ શહેર જિલ્લામાં કોરોનાએ ઉથલો માર્યા બાદ હવે કેસ ઘટવા લાગ્યા છે. 24 કલાકમાં શહેર અને જિલ્લામાં કુલ 182 નવા કેસ નોંધાયા છે. જ્યારે 2 દર્દીના મોત થયા છે. તેમજ કુલ 207 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 6 નવેમ્બરની સાંજથી 7 નવેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 161 અને જિલ્લામાં 21 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 2 દર્દીના મોત થયા છે. તેમજ શહેરમાં 189 અને જિલ્લામાં 18 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 43,579 થયો છે. જ્યારે 38,837 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 1,917 થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *