થરાદ ની હોરર કેનાલ…

ઉત્તર ગુજરાતની નર્મદા કેનાલોમાં અવાર-નવાર આપઘાતની ઘટનાઓ બનતી હોય છે. આવી જ ઘટનાઓમાં ઉમેરા સાથે આજે વધુ એક કરુણ ઘટના સામે આવી છે.થરાદ માંથી પસાર થતી મુખ્ય કેનાલમાં  એક યુવક પડ્યો હોવાની જાણ થરાદ નગરપાલિકાના તરવૈયા સુલતાન મીર અને ટીમને કરતાં યુવક ને બચાવવા માટે ઘટના સ્થળે જઈ શોધખોળ હાથ ધરી છે.જ્યારે ભારે જહેમત બાદ યુવક નો મૃત દેહ મળતા તેની પાસે રહેલ  પોલીથીનની બેગમાંથી મોબાઈલ અને 400 રોકડ રકમ મળી આવતા મૃતદેહની ઓળખાણ થતા યુવક પડનાર થરાદ ના આબલી શેરીના યુવક યતીન્દ્ર ગાંધી હોવાનું જાણવા મળ્યું .કેનાલમાં પડ્યો હોવાની જાણ સ્થાનિક લોકોને થતાં કેનાલ પર લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.વધુ તપાસ અર્થે શબ ને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી થરાદ પોલીસે તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *