સરહદી બનાસકાંઠા ના વાવ ગામ ખાતે વિવિધ વિસ્તારો તેમજ શેરી ઓ માં હોળી પ્રગટાવવામાં આવી હતી જેમાં ગામ ની મુખ્ય હોળી વહેલા સવારે ૪.૦૦ વાગ્યા ના સમયે પ્રગટાવવામાં આવી હતી કહેવાય છે હોળી નો તહેવાર નું હિન્દુ ધર્મમાં નું ખાસ મહત્વ રહેલું છે અને દર વર્ષે હિન્દુ ધર્મના લોકો રંગેચંગે અનેક તહેવારોની ઉજવણી કરતાં હોય છે જે અંતર્ગત આમ હિન્દુ ધર્મનો લોકપ્રિય તહેવાર હોળી છે આમ તો વર્ષોથી હોળીના પર્વની સૌથી વધુ ઉજવણી રાજસ્થાનમાં થાય છે પરંતુ બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે રાજસ્થાની પરંપરા મુજબ આજે પણ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હોળીના પર્વની લોકો ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે કહેવાય છે કે વર્ષો ની પરંપરા મુજબ હોળી પ્રગટાવ્યા બાદ નવયુગલ તેમજ નવા વર્ષ માં બાળકનો જન્મ થયો હોય તે બાળકો ને પ્રદિક્ષણા કરવામાં આવે છે લોક વાંચા પ્રમાણે ખેડૂતો પોતાના ધાસચારો પૂળા ને હોળી પર ફેરવે છે એટલે કે વર્ષ માં ધાસચારો ખૂટે નહિ .વધુ માં છાણો માં બે – ધજાઓ રોપવામાં આવે છે એક સફેદ અને એક લાલ કલર ની હોય છે ધજા જે ઉતર અને પૂર્વ દિશા માં પડે તો તે સારું કહેવાય આવનારું વર્ષ સારું આવે તેવી સ્થાનિકો ની માન્યતાઓ છે