હિન્દુ ધર્મમાં ભક્તિ શક્તિ અને આસ્થા નું એક અનેરૂ મહત્વ રહેલું છે ખાસ કરીને હિન્દુ ધર્મના લોકો દેવી-દેવતાઓમાં આગવી આસ્થા ધરાવે છે જેના કારણે હિંદુ ધર્મમાં દર વર્ષે અનેક તહેવારો લોકો હળી મળીને ઉજવતા હોય છે ત્યારે હિન્દુ ધર્મના સૌથી પ્રિય માસ એટલે શ્રાવણ મહિનો.શ્રાવણ મહિનામાં હિન્દુ ધર્મના લોકો એક મહિના સુધી ભગવાન ભોળાનાથની ભક્તિમાં થઈ આરાધના કરતા હોય છે ત્યારે આજે શ્રવણ માસના અંતિમ દિવસે ડીસા તાલુકાના તમામ શિવાલયો હર હર મહાદેવના નાદ થી ગુંજી ઉઠ્યા હતા મોટી સંખ્યામાં ભક્તો તમામ શિવાલયોમાં ભક્તિ અને શક્તિ સાથે દર્શન કર્યા હતા ત્યારે ડીસા તાલુકાના જુના ડીસા ગામે આવેલ મહાકાલેશ્વર મહાદેવના મંદિરે પણ દર વર્ષની જેમ આ વર્ષે હવન યોજાયો હતો. આજે યોજાયેલા આ હવનમાં દૂર દૂરથી લોકો હવનમાં જોડાઈ આહુંતી હતી જે બાદ ભક્તોએ ભગવાન ભોળાનાથ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ હોવાના કારણે આજુબાજુના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો મહાકાલેશ્વર મંદિરે દર્શન કરવા માટે ઉંમટી પડ્યા હતા જેથી સમગ્ર વાતાવરણ ભગવાન ભોળાનાથની ભક્તિમાં રંગાયું હતું