ગુજરાતના મુખ્યસચિવ પંકજ કુમારને 31 જાન્યુઆરી સુધી મળ્યું એક્સ્ટેન્શન, સત્તાવાર જાહેરત કરાશે

ગુજરાત રાજ્યના મુખ્યસચિવ પંકજ કુમારને એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે. આઠ મહિના સુધીનું એક્સ્ટેન્સન મળ્યું હોવાની વિગતો સામે આવી છે. જો કે, સત્તાવાર રીતે જાહેરાત થશે. 31 જાન્યુઆરી 2023 સુધી પંકજ કુમારને એક્સ્ટેન્શ આપવામાં આવ્યું છે. આ વર્ષના અંતે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે એ પહેલા જ મોટા સમાચાર સામે આવ્યા હતા,

ગુજરાતના મુખ્ય સચિવને 8 મહિનાનું એક્સ્ટેન્શન અપાતા જે પદભાર હતો તેને તેઓ આગળ ધપાવશે. આ એક્સ્ટેન્શનને કેન્દ્ર સરકાર દ્વારા લીલી ઝંડી આપી હોવાની વિગતો મળી છે. આ પહેલા ડીજીપી અને હવે પંકજ કુમારને એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે. તેમનું નોટીફિકેશન મોડી સાંજ સુધીમાં આવી જશે. ગુજરાતમાં ચૂંટણીનું વર્ષ છે ત્યારે આ ટર્મ પૂર્ણ થતી હતી ત્યારે તમામ વહીવટી પ્રક્રિયામાં સિધીરીતે સંકળાયેલા છે. ઘણા સમયથી ચર્ચાઓ હતી કે, પંકજ કુમારને એક્સ્ટેન્શન મળશે.

2022ની ચૂંટણીમાં વહીવટી પ્રક્રિયા પણ પંકજ કુમારના નેજા હેઠળ કાર્યરત રહેશે. મુખ્યસચિવ તરીકે એક વર્ષના આજુ બાજુના સમયમાં જ પંકજ કુમારને આ કાર્યભાર આપવામાં આવ્યો હતો ત્યારે હવે તેમને એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *