ડીસાના માલગઢ ગામે વિધર્મીઓએ ધર્માંતરણ કરાવ્યા બાદ પરિવારને પાછો સોંપવા માટે 25 લાખની ખંડણી માંગતા ઘરના મોભીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ લોકોમાં રોષ જોવા મળ્યો હતો . જેમાં આ પ્રકારની પ્રવુત્તિઓના વિરોધ માટે ડીસાના સાંઈબાબા મંદિર ખાતે હિન્દુ યુવા સંગઠન બેનર હેઠળ અલગ અલગ સંગઠનો ,વેપારીઓ અને પ્રબુદ્ધ નાગરિકોની બેઠક યોજી હતી . જે ને લઈને થોડા દિવસો પહેલા વિશાળ રેલીનું આયોજન થયુ હતું .જેમાં આ બનાવ ના પડધા સમગ્ર ગુજરાત માં પડ્યા હતા જે બાદ આ સમગ્ર કેસ ની તપાસ ગૃહ વિભાગ દ્વારા ગુજરાત ats ને સોપવામી આવી છે ત્યાં સમગ્ર બાબતે ગુજરાત ats અલગ અલગ એન્ગલે તપાસ કરશે