ગુજરાત આપ ની રોજગાર યાત્રા પહોંચી ઢીમા,યુવરાજ સિંહ ની હાજરી માં 200 લોકો જોડાયા આપ માં

ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે વિવિધ રાજકીય પક્ષો દ્વારા વચનો અને ગેરંટી આપવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી દ્વારા રોજગાર ગેરંટી યાત્રા કાઢવાની જાહેરાત કરવામાં આવી છે. આ રોજગારી ગેરંટી યાત્રા ઉત્તર ગુજરાતમાં 3 જિલ્લામાં 21 વિધાનસભામાં યાત્રા 11 દિવસ સુધી ફરશે.

જે અંતર્ગત રોજગાર યાત્રા વાવ ના ઢીમા ખાતે પહોંચી હતી જેમાં વિદ્યાર્થી આગેવાન અને આપ નેતા યુવરાજ સિંહ જાડેજા એ પહેલા ભગવાન ધરણીધર ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.વધુમાં યુવરાજસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ દ્વારા રોજગાર બાબતે જે ગેરંટીકાર્ડ આપવામાં આવ્યું છે જે ગામડા અને શહેરો સુધી અમે પોહચાડીશુ. ભાજપ દ્વારા જે ખોટી માહિતી આપવામાં આવી રહી છે તેને દૂર કરી આમ આદમી પાર્ટી દ્વારા 10 લાખ રોજગારી કઈ રીતે આપવામાં આવશે. આ પરીક્ષા કઈ રીતે પારદર્શક રીતે લેવામાં આવે. ભૂતકાળમાં પેપર ફૂટયા છે અને ભાજપના મળતીયાઓ જે સંડોવાયેલા છે વગેરે બાબતે લોકો સુધી માહિતી પોહચાડીશુ. ગુજરાતની પરીક્ષાઓ અનિશ્ચિતતા હોય છે. અમે આ નિશ્ચિત કરીશું. લોકો સુધી અમે રોજગાર બાબતે તમામ માહિતી પોહચાડીશું. રાજયમાં બેરોજગાર દર ખોટો બતાવવામાં આવે છે.વગેરે બાબતો ને લઈને વર્તમાન સરકાર ને આડે હાથ લીધી હતી.સાથે સાથે 200 થી વધુ યુવાનો આપ માં જોડાયા છે આજ ના આ કાર્યક્રમ માં બનાસકાંઠા જિલ્લા આપ ના પ્રમુખ રમેશભાઈ પટેલ સહિત ભૂરાજી ગોહિલ આઝાદ ગુજરાત પ્રદેશ કિસાન પ્રમુખ ,સહિત વાવ તાલુકા આપ ના સંગઠન સહિત હોદેદારો હાજર રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *