
યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : સુઈગામ
સરહદી બનાસકાંઠા ના સુઇગામ તાલુકા ના સોનેથ ગામે માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી ના આદેશ તેમજ બનાસકાંઠા જીલ્લા ના સમાહર્તા અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ના હુકમ અન્વયે 2 ઓક્ટોબર મહાત્માગાંધી બાપુ ની જન્મ જયંતિ નિમિતે જળ સંચય મિશન નલ સે જલ અંતર્ગત તેમજ ગામમાં ૧૦૦% રસીકરણ થાય તે હેતુથી સોનેથ ગામે ગ્રામ સભા નું આયોજન કરવામાં આવ્યું હતુ,આ કાર્યક્રમ માં ઉપસ્થિત તમામે પ્રધાનમંત્રી શ્રી ની લાઈવ ચર્ચા શાંતિ પૂર્વક સાંભળી હતી,તેમજ શાળામાં આરોગ્ય વિભાગ ના સ્ટાફ દ્રારા કોરોના રસિકરણ નું આયોજન કરવામાં આવ્યુ હતુ.આજના આ જળ જીવન મિશન અંતર્ગત મળેલી ગ્રામ સભામાં સુઇગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધીકારી શ્રી પથૂભાઈ માળી,ગામના સરપંચ શ્રી ,શાળાના ઉ.શી.શિક્ષક કમળાબેન માલવીયા,તલાટી કમ મંત્રી શ્રી,ખેતીવાડી ગ્રામ સેવક ,આરોગ્ય સ્ટાફ,અને ગ્રામજનો હાજર રહયા હતા..