
શોર્ટસર્કિટથી ગોડાઉનમાં ઘાસચારામાં આગ લાગી હતી
થરાદના કરબૂણ ગામે આવેલી શ્રીરામ ગૌશાળાના ઘાસચારા ગોડાઉન નજીક પસાર થતી વીજ લાઇનના વીજવાયરથી થોડા દિવસ અગાઉ શોર્ટસર્કિટ સર્જાતાં ગોડાઉનમાં પડેલા ઘાસચારામાં આગ લાગતાં મોટા પ્રમાણમાં ઘાસચારો બળીને રાખ થઇ ગયો હતો. જેથી બંને વીજલાઇન સિફટ કરવા ધારાસભ્યએ યુજીવીસીએલ મુખ્ય અધિક્ષક ઈજનેરને લેખિત રજૂઆત કરી છે.
થરાદના કરબૂણ ગામે આવેલી શ્રીરામ ગૌશાળાના ઘાસચારા ગોડાઉન નજીક પસાર થતી ખેતીવાડી તેમજ જ્યોતિગ્રામ વીજ લાઇનના વીજ વાયરથી થોડા દિવસ અગાઉ શોર્ટસર્કિટ સર્જાતાં ગોડાઉનમાં પડેલા ઘસચારામાં આગ લાગતાં મોટા પ્રમાણમાં ઘાસચારો બળીને રાખ થઇ જતાં મોટું નુકસાન થયું હતું.
આમ થરાદ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં કેટલીક જગ્યાએ રહેણાંક ઉપરથી ઇલેવન વીજલાઇન પસાર થઈ રહી છે. જેમાં યુજીવીસીએલ વર્તુળ કચેરી પાલનપુર મુખ્ય અધિક્ષક ઈજનેર સુધી લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં યુજીવીસીએલ ધ્યાન પર લેતું નથી. આથી વારંવાર વીજ લાઇનના શોર્ટ સર્કિટથી બનતા આગના બનાવોને લઈને ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે ઉત્તર ગુજરાત વીજ કંપની મુખ્ય અધિક્ષક ઇજનેરને લેખિત રજૂઆત કરી સત્વરે નડતરરૂપ વીજ લાઇન હટાવવા માંગણી કરી છે.