કેન્દ્ર સરકાર જીવાશ્યમ ઈંઘણના ઉપયોગને નિયંત્રિત કરવાની દિશામાં આગ વધી રહી છે. આ મામલે કેન્દ્રિય કેબિનેટ બાયોફ્લુઅલ રાષ્ટ્રીય નીતિ 2018માં સુધારો કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આગામી વર્ષથી હવે પેટ્રોલની અંદર 20 ટકા ઈથેનોલ મિલાવી શકાશે. બાયોફ્યુઅલ નીતિ સુધારાને કેન્દ્રિય કેબિનેટે મંજૂરી આપી દીધી છે. ઘણા સમયથી પેટ્રોલ અને ડિઝલના ભાવો ભડકે બળી રહ્યા છે. મોંઘવારીનો માર હજુ પણ પેટ્રોલ ડીઝલના ભાવ વધી શકે છે ત્યારે અગાઉ જ આ પ્રકારની મોંઘવારી સહન ના કરવા તત્પર લોકો માટે વધુ માર ના પડે તે માટે નિયંત્રણ પેટ્રોલના ભાવ લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પેટ્રોલમાં ઈથેનોલ મિલાવવાનુું લક્ષ્ય 2030 થી 5 વર્ષ પહેલા એટલે કે 2025-26 સુધીમાં પ્રાપ્ત કરાશે. તેનાથી દેશમાં વપરાતા પેટ્રોલમાં ઈથેનોલની માત્રા 1 એપ્રિલ 2023 થી 20 ટકા સુધી વધારી શકાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજવામાં આવી હતી. જેમાં કેન્દ્રિય મંત્રી મંડળ સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. ત્યારે પેટ્રોલ ડીઝલના ભાવના નિયંત્રણને લઈને આગામી સમયમાં લેવામાં આવેલો આ નિર્ણય મહત્વનો સાબિત થઈ શકે છે.