ધાનેરા ની મેઈન બજાર આવેલી ચાર દુકાનો માં લાગી આગ…

ધાનેરા ની મેઈન બજાર આવેલી ચાર દુકાનો માં લાગી આગ… ધાનેરાની મેઈન બજાર આવેલ ત્રણ સોના ચાંદી ની અને એક કરીયાણા ની દુકાનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો મેઈન બજાર માં આવેલી જવેલ્સની દુકાનમાં બાટલો લીકેજ થતા આગ લાગી હોવાનુ અનુમાન પ્રાથમિક જાણવા મળ્યું હતું અને ત્યારબાદ અચાનક આગે વિકરાળ રૂપ લેતા બાજુની દુકાનોને પણ આગની ઝપેટ માં લઈ લેતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો, જેમાં એક દુકાનમાં આગ લાગતા બાજુની 3 દુકાનોને આગે ઝપેટમાં લીધી હતી, જેમાં 3 જવેલર્સ, અને 1 કરિયાણાની દુકાનમાં આગ આગતા મોટા પાયે વેપારીઓને નુકશાન થયુ હતું એ ઘટના અંગેની જાણ ફાયર ફાઇટર અને પોલીસ ને થતા તાત્કાલિક સ્થળ પર આવી પાણી નો મારો ચલાવી આગને કાબુ માં લીધી હતી પરંતુ મોટા ભાગ મો માલ સમાન બલી જવા પામ્યો હતો, તો ઘટના પગલે સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.. જોકે આગમાં વેપારીઓ ને મોટું નુકશાન થવા પામ્યું હતુ પણ જાનહાની ટલી હતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *