વાવ તાલુકા ના સખી સંધો માં મોટા પાયે ગેરરીતિ થઇ હોવાની લોકચર્ચા…

દેશ ના ગામડાની બહેનો આત્મનિર્ભર બને અને આર્થિક પ્રવૃત્તિઓ કરીને પગભર થવા માટે સરકારના ધારાધોરણ પ્રમાણે મિશન મંગલમ દ્વારા સી.આઈ.એફ.સખી સંઘને અમુક રકમ ચુકવવામાં આવે છે. ત્યારે વાવ તાલુકા ના સખી સંધો માં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે . જેમાં અધિકારીઓ તેમજ તાલુકા TLM સાથે મળી મોટી ગેરરીતિ કરી હોવાની લોક ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે વાવ તાલુકા ના  ચર્ચાતા ગામો જેમાં ટડાવ , હરીપુરા ,જેમાં અંદાજિત 15-15 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.જેમાં ક્રમચારી ના સબંધી સાથે મળી ગેરરીતી કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે .જેમાં અમુક નાણા સખી સંઘ ના બહેનો ના ધ્યાન બહાર વહીવટ થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે જેથી જિલ્લા વિકાસ અધિકારી ઝીણવટ ભરી તપાસ આદરે તો મોટા ધટસ્પોટ થઈ શકે તેમ છે આ નાણાંનો ખોટો દુર ઉપયોગ તથા વ્યક્તિગત ઉપયોગ માટે વપરાયેલ હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *