ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો આવવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં શિયાળામાં ફરી માવઠું થવાની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરના રોજ કમોસમી વરસાદની શકયતા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 30 નવેમ્બર અને 1 ડિસેમ્બરના રોજ કમોસમી વરસાદની શકયતા છે.

જેમા 30 નવેમ્બરના ભરૂચ, સુરત, ડાંગ, તાપી, વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, દિવમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાનું અનુમાન કરવામા આવ્યુ છે. જ્યારે, 1 ડિસેમ્બરના રોજ પોરબંદર, રાજકોટ, જૂનાગઢ,અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, આણંદ, અમદાવાદ, ખેડા, મહિસાગર, દાહોદ, પંચમહાલમા કમોસમી વરસદની શક્યતા છે. જયારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સિવાય રાજ્યના બાકીના ભાગોમાં છૂટા છવાયા માવઠાની શક્યતા નહિવત છે.