ખેડૂતો લડી લેવાના મૂડમાં, આ તારીખે આંદોલનની આપી ચિમકી

કૃષિ કાયદાનાં મુદ્દા પર ખેડુતો હવે લડી લેવાનાં મુડમાં છે અને તે માટેની તૈયારી પણ શરી દીધી છે, ખેડુત સંગઠનોનું કહેવું છે કે હવે તો તેમની માંગ છેકે સરકાર આ કાળા કાયદાને જ પાછો ખેંચી લે, સુધારો કોઇને પણ સ્વિકાર્ય નથી, આ દરમિયાન ખેડુત સંગઠનોએ 12થી 14 ડિસેમ્બર દરમિયાન યોજાનારા વિરોધ પ્રદર્શનો અંગે માહિતી આપી છે.

ભારતીય કિસાન યુનિયન પ્રમુખ બલબીર એસ રાજેવાલનું કહેવું છે કે 12 ડિસેમ્બરે અમે દિલ્હી-જયપુર હાઇ-વે બ્લોક કરી દઇશું, 14 તારીખે અમે ડીસી ઓફિસોની સામે, બિજેપી નેતાઓનાં નિવાસસ્થાનો તથા રિલાયન્સ અને અદાણી ટોલ પ્લાઝા પર ધરણા કરીશું, ટ્રેનોને રોકવાનો કોઇ કાર્યક્રમ નથી, અહીં આવનારા ખેડુતોની સંખ્યા વધી રહી છે.

ખેડુત સંગઠનોનું કહેવું છે કે કેન્દ્ર સરકારની હઠનાં કારણે ખેડુતોની સામે હવે કોઇ વિકલ્પ નથી, સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે કેન્દ્ર સરકાર હાલનાં કૃષિ કાયદામાં સુધારો કરવા તૈયાર છે  તો તેને તે કાયદો પાછો લેવામાં વાંધો શું છે.

આ પહેલા ખેડુત નેતા રાકેશ ટિકૈતે પણ કહ્યું હતું કે 15માંથી 12 સુધારા પર સરકાર તૈયાર છે, તો તેનો અર્થ એ થયો કે કાયદામાં ખામી છે, પરંતું કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ  તોમરનું કહેવું છે કે કોઇ પણ કાયદો ખોટો નથી હોતો, જો કોઇ ખેડુત સંગઠનને વાંધો છે તો તેમાં ફેરફાર કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *