રાછેણા માઇનોર કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતાં ખેડૂતો ના ખેતર બેટ માં ફેરવાયા …..

વાવ તાલુકાની રાછેણા માઇનોર કેનાલ-2માં સોમવારે 10 ફૂટનું ગાબડું પડતા પાણી ખેતરમાં પાણી ફરી વળતાં ખેડૂતને મસમોટું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. ​​​​​​​રાછેણા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાંથી પસાર થતી રાછેણા માઇનોર-2માં હેમરાજભાઈ વજીરના ખેતરમાં સોમવારે સવારે 10 ફૂટનું ગાબડું પડતા ખેતરમાં કરેલ જીરાના પાકમાં કેનાલના પાણી ફરી વળતાં ખેડૂતો ના ખેતર બેટ માં ફેરવાતા  નુકશાન થયું હતું. જેને લઈ ખેડૂતની મહા મહેનત પાણીમાં ગઇ હતી. છાસવારે કેનાલમાં ગાબડાં પડતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *