થરાદમાં ખેડૂતો ની બાઈક રેલી યોજાઈ સિંચાઇના પાણીની માંગ સાથે ખેડૂતોએ પ્રાંત કચેરીએ આપ્યું આવેદનપત્ર

 બનાસકાંઠા જિલ્લામાં ચાલુ સાલે નહિવત વરસાદને પગલે  ઠેર ઠેર પાણીની બુમરાડો ઉઠી રહી છે  જિલ્લાના અનેક વિસ્તારોમાં જળ આંદોલનો છેડાઈ રહ્યા છે ત્યારે આજે થરાદમાં પણ  ૯૭ ગામના લોકોએ જળ આંદોલનનો પ્રારંભ કર્યો છે.૯૭ ગામોને નર્મદા કમાન્ડ એરીયામાં સમાવેશ કરવાની માંગ સાથે યુવા ખેડૂતોએ બાઈક રેલી યોજી  થરાદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવયુ હતું ભરઉનાળે બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી સર્જાતા  સ્થાનિકો સહિત ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે  ખેડુતોને સિંચાઈ સહીત પીવા માટે પાણી ન મળતા જિલ્લામાં ઠેર ઠેર જળ આંદોલનો થઇ રહ્યા છે સૌપ્રથમ પાલનપુરમાં તે બાદ દિયોદર તે બાદ વડગામ અને હવે  થરાદમાં જળ આંદોલનની શરૂઆત થઈ છે.મહત્ત્વની વાત એ છે કે થરાદના  ૯૭ ગામો નર્મદા કમાન્ડ એરિયા બહાર આવેલાં વિસ્તારોમાં  છેલ્લા કેટલાય સમયથી સિંચાઇ તેમજ પીવાના પાણી ની બુમરાડો ઉઠી રહી છે

સ્થાનિકો દ્વારા અવારનવાર તંત્રને રજુઆત કરવામાં આવી છે તેમ છતાં કોઈ ઉકેલ ન આવતા  રોષે ભરાયેલા ખેડૂતો હવે રસ્તા પર ઉતર્યા છે.આજે થરાદના લવાણા ગામ ખાતેથી વિસ્તારના હજારો યુવાનોએ સાથે મળી  બાઈક રેલી યોજી ડીજે સાથે નીકળેલી આ બાઈક રેલી થરાદ વિસ્તારના અનેક ગામોમાં  પરિક્રમા કરી  થરાદ પ્રાંત કચેરી ખાતે પહોંચી અને થરાદ પ્રાંત અધિકારીને  આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ છે જો કે ન્યાય નહિ મળે તો આવનારા સમય માં મોટું આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *