2017 થી ધ્રોબા સેન્ટર મા સી.આર.સી..કોર્ડીંનેટર તરીકે વિજયભાઈ રાઠોડ ની નિયુક્તિ થઈ હતી…વિજયભાઈ રાઠોડે પોતાના 5 વર્ષના કાર્યકાળમાં લાખણી તાલુકામાં જ નહી પરંતુ આખા જિલ્લામાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરી હતી…5 વર્ષના સમય દરમિયાન તેઓએ સણીયાલીપુરા, ધ્રોબા, ધુણસોલ,ભાખડિયાલ ,ખેરોલા ની પેટાશાળાઓ 15 સહિત શાળાઓમાં એમણે CRC તરીકે સુંદર કામગીરી કરી હતી…સાથે સાથે એમના સમયમાં સેન્ટરના તમામ શાળાઓમાં શિક્ષણના સ્તર મા પણ સારો એવો સુધારો આવ્યો હતો. દરેક શાળાઓમાં માર્ગદર્શન આપી હકારાત્મક વિચારધારા સાથે શાળાઓની ગુણવત્તા સુધારવા સતત પ્રયત્નો કર્યા હતા તેમને શિક્ષકોને સતત પ્રોત્સાહન આપી એમની પ્રવૃત્તિઓને બિરદાવતા હતા.એમના કામની કદર કરી આજે સણીયાલીપુરા પ્રા.શાળાના ઉત્સાહી સ્ટાફ મિત્રો અને smc સભ્યો દ્વારા એમને સન્માન ભેર વિદાય આપવામાં આવી હતી…આજના આ કાર્યક્રમનું સંચાલન ભગવાનભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યો હતો… આ કાર્યક્રમમાં શાળામાં કઈક કરી છૂટવાની ભાવનાવાળા આચાર્ય દશરથભાઈ ચેનવા,ભગવાનભાઈ દેસાઈ,સુનિલભાઈ પટેલ,મૌલિક ચૌહાણ,રાણાજી ઠાકોર, અણદાભાઈ જાટ,smc પરિવાર અને શાળાના વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો…