હિન્દુ ધર્મમાં ભક્તિ શક્તિ અને આસ્થા નું એક અનેરો મહત્વ રહેલું છે ખાસ કરીને હિન્દુ ધર્મના લોકો દેવી-દેવતાઓમાં સૌથી વધુ આસ્થા રાખતા હોય છે જેના કારણે દર વર્ષે અનેક પૌરાણિક મેળવવો અને પ્રતિષ્ઠા મહોત્સવ યોજતા હોય છે જે અંતર્ગત ડીસા તાલુકાના આસેડા ગામે આવેલ દૈત મહારાજ હનુમાન દાદા અને ગોગ મહારાજના મંદિરે ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં આસેડા ગામ સહિત અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. આજે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં લોકોને અવરજવર વધતા મેળા જેવા દ્રશ્યો સર્જાયા હતા તો આ તરફ દૈત મહારાજ હનુમાન દાદા અને ગોગ મહારાજના મંદિરે પ્રજાપતિ આસેડિયા પરિવાર દ્વારા વાસ્તે ગાજતે ધજારોહણ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. આજે આસેડા ગામે આવેલા મંદિરે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા ભક્તિમય જેવું વાતાવરણ સર્જાયું હતું