ભારત દ્વારા ઘઉંની નિકાસ પરના પ્રતિબંધ બાદ યુરોપિયન માર્કેટમાં ઉથલપાથલ

કાળઝાળ ગરમી અને ગરમીના મોજાને કારણે ઘઉંના ઉત્પાદનને અસર થશે તેવી ચિંતા વચ્ચે ભારતે તેના મુખ્ય ખાદ્ય અનાજના ભાવમાં ભારે વધારાને રોકવા માટે ઘઉંની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો છે.ભારતમાંથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા બાદ સોમવારે યુરોપિયન માર્કેટમાં ઘઉંના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સોમવારે યુરોપિયન બજાર ખુલતાની સાથે જ ઘઉંની કિંમત 435 યુરો ($453) પ્રતિ ટન પર પહોંચી ગઈ હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં, રશિયા દ્વારા યુક્રેન સામે યુદ્ધની ઘોષણા અને તેના કૃષિ પાવરહાઉસ પર હુમલા પછી, વૈશ્વિક ઘઉંના પુરવઠાની અછતની આશંકા વધી ગઈ છે. જેના કારણે ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.ગયા વર્ષનો રેકોર્ડ જોવામાં આવ્યો હતો કે આ બંને દેશોએ વૈશ્વિક બજારમાં ઘઉંની નિકાસમાં 12 ટકા યોગદાન આપ્યું હતું. વિશ્વભરમાં, ખાતરોની અછત અને નબળા પાકને કારણે વૈશ્વિક સ્તરે મોંઘવારી વધી છે. ગરીબ દેશોમાં સ્થિતિ સારી નથી ચાલી રહી અને સામાજિક અશાંતિની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ઘઉં ઉત્પાદક દેશ છે

વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા ઘઉં ઉત્પાદક ભારતે શનિવારે જણાવ્યું હતું કે તે માર્ચમાં રેકોર્ડ ગરમીના મોજાની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિકાસ પર પ્રતિબંધ મૂકે છે. ભારતે કહ્યું કે તે ઘઉંના ઓછા ઉત્પાદન અને વૈશ્વિક બજારમાં કિંમતોમાં ઉછાળાને જોતા તેના 1.4 અબજ લોકોની ખાદ્ય સુરક્ષાને લઈને ચિંતિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *