વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29મે ના રોજ ગુજરાતના પ્રવાસે આવવાના હતા પરંતુ તેમના ગુજરાત પ્રવાસ ની તારીખોમાં ફેરફાર થયો છે. હવે વડાપ્રધાન 28મી મેના રોજ એટલે કે એક દિવસ પહેલાં જ ગુજરાતમાં આવી પહોંચશે. અગાઉ 15મી મે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રવાસ નક્કી કરવામાં આવ્યો હતો, ત્યારે 29મે ની તારીખ નક્કી કરવામાં આવી ત્યારે હવે 29 મે ના બદલે 28 મેના રોજ વડાપ્રધાન આવશે અને સહકાર મહાસંમેલનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંબોધિત કરવામાં આવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો આ વખતનો સૌરાષ્ટ્ર નો પ્રવાસ છે. જ્યાં સૌરાષ્ટ્રમાં તેઓ એક દિવસનો પ્રવાસ કરવાના છે, ત્યારે આ વખતે 28મી મેના રોજ વડાપ્રધાન આવી રહ્યા છે. ત્યારે બની શકે છે કે તેમનો પ્રવાસ એક દિવસ ની જગ્યાએ બે દિવસ થઈ શકે છે જો કે હજુ સુધી બે દિવસ પ્રવાસને લઈને ઑફિસિયલ કોઈ જાહેરાત થઈ નથી. આગામી સમયમાં ભાજપ દ્વારા સહકાર ક્ષેત્રે જોડાણ કરાયું છે અને કામગીરી આ ક્ષેત્રે દેશભરમાં કરવામાં આવી રહી છે ત્યારે વડાપ્રધાન પહેલીવાર આ રીતે સહકાર મહાસંમેલનને સંબોધિત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતની અંદર એક પછી એક પ્રવાસ થઈ રહ્યા છે. માર્ચ મહિનાથી તેમના અત્યાર સુધીમાં પ્રવાસ ગુજરાતની અંદર થઈ રહ્યા છે. દર મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણી પહેલા ગુજરાતની અંદર એક પછી એક પ્રવાસ યોજાય તેવી શક્યતાઓ છે, ત્યારે માર્ચ અને એપ્રિલ બાદ હવે મે મહિનાની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ નક્કી થયો છે.