
યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )
સરહદી બનાસકાંઠા ના વાવ ખાતે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તા.૨૭/૦૭/૨૦૨૧ ના રોજ વાવ તાલુકાની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં વાવ તાલુકા પંચાયતની મુલાકાત લઈ તાલુકા ની વિવિધ શાખાઓની મુલાકાત લેતા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં મકાનો ઝડપથી પૂર્ણ કરાવવા, મનરેગા યોજનામાં તમામ ગામોમાં કામ ચાલુ કરાવી લોકોને યોજનાનો લાભ આપવા તેમજ ,સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય વિહોણા લાભાર્થીઓને શૌચાલયનો લાભ અપાવવા બાબતે સૂચનો કરવામાં આવ્યા.તાલુકા પંચાયત ના પ્રાગણ માં વ્રુક્ષો રોપણ કરવામાં આવ્યું .આ સિવાય તેઓએ વાવ સી.એચ.સી તેમજ પી.એચ.સી ની મુલાકાત લીધી હતી ઓક્સિજન પ્લાન્ટની જગ્યા નું નિરિક્ષણ કર્યું હતું. તેમજ વાવ સી .એચ .સી માં આવનાર ત્રીજી લહેર ની પૂર્વ તૈયારી ના ભાગ રૂપે વધુ ઓક્સીજન બેડ ના સૂચનો કરવામાં આવ્યા તેમજ વાવ તાલુકાનાં ખીમાણાવાસ,ખીમાણાપાદર ગામો ની મુલાકાત લીધી હતી. આજની મુલાકાત દરમ્યાન વાવ તાલુકા વિકાસ રાહુલ ભારદ્વાજ,ભરતભાઈત્રિવેદી,નરેન્દ્રભાઈગઢવી,ડો .ઈશ્વરભાઈ મકવાણા તેમજ બી.એચ.ઓ મોદી સાહેબ તેમજ કચેરીના કર્મચારીઓ એ હાજરી આપી હતી.
ઓક્સીજન પ્લાન્ટ વિશે જીલ્લા વિકાસ અધિકારી શું બોલ્યા ?
વધુ માં અમારા મીડિયા ટીમ ના પ્રતિનિધિ એ ઓક્સીજન પ્લાન્ટ વિષે પૂછતા દ્વારા જણાવામાં આવ્યું કે વર્ક ઓડર ઈશ્યુ થઇ ગયું છે અને ટૂંક દિવસ માં વાવ ની સી.એચ .સી ખાતે પ્લાન્ટ કાર્યરત કરવામાં આવશે તેમ જણાવામાં આવ્યું ..