જીલ્લા વિકાસ અધિકારી એ વાવ તાલુકા ના લોદ્રાણી ગામ ની મુલાકાત લીધી

યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ

સરહદી વાવ તાલુકા માં જીલ્લા વિકાસ અધિકારી અજય દૈયા એ લોદ્રાણી ગામ ની મુલાકાત લીધી જેમાં વિકાસ અને મનરેગા કામો ની સમીક્ષા કરવામાં આવી હતી અને ગ્રામપંચાયત ઓફીસ ની કામગીરી ની તપાસ પણ કરવામાં આવી હતી .ત્યારબાદ લોદ્રાણી ગામે હાલ ચાલતા મનરેગા ના કામોની મુલાકાત લીધી હતી તે બાદ લોદ્રાણી ગામે વિકાસ ના કામો હેઠળ બનેલ સ્મશાન ના છાપરા  ના કામ ની જાતેજ નિરક્ષણ કરવામાં આવ્યું .ત્યારબાદ મનરેગા હેઠળ તાલુકા કક્ષા એ લાખો રૂપિયા કર્ચી બનાવેલ રાજીવ ગાંધી ભવન ને ખંડેર હાલત માં જોઈ કોઇપણ ગ્રાન્ટ હેઠળ તેનું સમારકામ કરી ઉપયોગમાં લેવામાં આવશે ત્યારબાદ  વાવ તાલુકા પંચાયત ની મુલાકાત લીધી હતી. જીલ્લા વિકાસ અધિકારી એ મુલાકાત લીધી જેમાં વિકાસ અને મનરેગા કામો ની સમીક્ષા કરી હતી જેમની સાથે વાવ તાલુકા વિકાસ અધિકારી (બી .જી.રાજપૂત)(અ .મ .ઈ) એ .એમ .ચોરસિયા અને મનરેગા(A W S) નરેશદાન ગઢવી ,વિસ્તરણ રાવલ જી તેમજ ટેકનીકલ મિત્રો .ત.ક મંત્રી બી.ડી સોલંકી સહીત સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા …    

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *