ડીસા નીચાણ વાળા વિસ્તારો માં પાણી ભરાયા,પાણી ની કાયમી નિકાલ કરવા અસરગ્રસ્ત લોકોની માંગ

ડીસામાં આજે વહેલી સવારે ત્રણ વાગ્યાથી સાત વાગ્યા સુધી સતત વરસાદ વરસ્યો હતો. ચાર કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસતા સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. અનેક નીચાણ વાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ખાસ કરીને ડીસાના રીઝમેટ અને ધૂળિયાકોટ વિસ્તાર માં આવેલ અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયું હતું. ઘરોમાં એક – દોઢ ફૂટ પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી ને પણ નુકસાન થયું છે. લોકો ના ઘરમાં પાણી ઘૂસી જતા ઘર બંધ કરી ઊંચાણવાળી જગ્યાએ જવાની ફરજ પડી હતી. દર વર્ષે ચોમાસામાં આ વિસ્તારોમાં પાણીનો ભરાવો થઈ જાય છે તંત્ર દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂન પ્લાનિંગ અંતર્ગત લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ પાણીના કાયમી નિકાલ માટેની ચોક્કસ વ્યવસ્થા થતી નથી અને તેના કારણે દર વર્ષે ચોમાસામાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આજે પણ માત્ર બે ઇંચ જેટલા વરસાદમાં અનેક નીચાણવાળા વિસ્તારો માં આવેલ ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અસરગ્રસ્ત લોકોની માંગ છે કે તંત્ર દ્વારા વરસાદી પાણીના કાયમી નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવે તો તેઓ દર વર્ષે નુકસાનમાંથી બચી શકે તેમ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *