આંતરરાષ્ટ્રીય ભારત પાકિસ્તાન બોર્ડર નડાબેટ ટુરિઝ ખાતે ગત રોજ તા -૨૮/૦૬/૨૦૨૨ ના રોજ ગુજરાત ના પ્રખ્યાત સાહિત્ય કલાકાર રાજભા ગઢવી એ દેશ ભક્તિ ના ગીતો અને વીર રસ ની વાતો કરી ચાહકો ને રસતરબોળ કર્યા હતા અને સેના ના જવાનો નું મનોબળ વધાર્યું હતું રાજભા ગઢવી ના સુરીલા અવાજ થી ભારત પાકિસ્તાન બોર્ડર ગુંજી ઉઠી હતી.

સુઈગામ તાલુકા ના આજુબાજુ ના ગામો ના લોકો પણ ડાયરા ની મોજ માણવા મોટી સંખ્યા માં ઉમટી પડ્યા હતા તથા ટુરિઝમ દ્વારા સુઈગામ થી નડાબેટ સુધી લોકો માટે બસ મોકલવા માં આવી હતી તથા ટુરિઝમ સ્ટાફ દ્વારા પત્રકાર મિત્રો અને મહેમાનો માટે સુંદર વ્યવસ્થા કરવા માં માં આવી હતી ભારત પાકિસ્તાન સીમા પર યોજાયેલ ડાયરા માં આવેલ તમામ મહેમાનો, દેશ પ્રેમી લોકો એ જવાનો નું મનોબળ વધાર્યું હતું આ કાર્યક્રમ માં સુઈગામ સરપંચ, જલોયા સરપંચ, રામસેગ ભાઈ ડેલિકેટ, નવઘણ ભાઈ ભરવાડ, કે. પી. ગઢવી અને BSF ના જવાનો તેમજ ટુરિઝમ ના સ્ટાફ અને આજુબાજુ ગામ ના લોકો પધાર્યા હતા