ધાનેરા તાલુકામાં મેઘો ની મહેર: રેલ નદી ઓવરફ્લો, ખેડૂતોને પાક અને રહેણાંક મકાનનેનુકસાન

ધાનેરા : રાજુભાઈ જોષી

ધાનેરા તાલુકામાં છેલ્લા 24 કલાકથી સતત વરસી રહેલા વરસાદને કારણે રેલ નદીમાં બંને કાંઠે પાણી વહેવા લાગ્યું છે. ઉપરવાસમાં પણ ભારે વરસાદ થતાં નદીનો પૂર વધુ ભયજનક બની રહ્યો છે.

નદીમાં આવેલા પૂર પાણીના કારણે આજુબાજુના ખેતરોમાં જમીન ધોવાઈ ગઈ છે. ખાસ કરીને ખેતરમાં પાક ઉછેરતા અનેક ખેડૂતોને નુકસાન સહન કરવું પડ્યું છે. દેવકરણભાઈ પટેલના ખેતરમાં આવેલા બોરમાં રેતી જઈ જતા બોર કામકાજના લાયક ન રહ્યો. એટલું જ નહીં, સતત વરસાદ અને પાણીના દબાણથી તેમના મકાનની દિવાલ પણ ધરાશાયી થઈ, જેના કારણે પરિવારના લોકો તાત્કાલિક બહાર દોડી જતાં તેમનો જીવ બચી ગયો હતો.

દેવકરણભાઈએ જણાવ્યુ કે, “દર વર્ષે ચોમાસામાં રેલ નદી ઓવરફ્લો થાય છે અને ખેતરો-મકાનને મોટું નુકસાન થાય છે. હજુ પણ નદીમાં રેતીની જમાવટ એટલી વધારે છે કે પાણી આસપાસ ફેલાઈ જાય છે.”

પરિસ્થિતિને ગંભીર માનીને જિલ્લા કલેકટર રેલ નદીની સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે દેવકરણભાઈના નુકસાનની વિગતો જાણીને સરકાર સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપી હતી.

સ્થાનિક ખેડૂતો તેમજ ગ્રામજનોએ સ્પષ્ટ માંગ ઉઠાવી છે કે, “આ નદીમાં નિયમિત રીતે રેતીનું ઉડીકામ અથવા નિર્માણ કામગીરી થવી જોઈએ, જેથી ચોમાસામાં પાણીનો વહેવાર સુવ્યવસ્થિત રહે અને ખેતરો તથા ધાનેરા શહેરને નુકસાન ન થાય.”

હાલમાં ગામના લોકો સતત ચિંતા સાથે નદીના વધતા પાણી પર નજર રાખી રહ્યા છે. અધિકારીઓએ પણ લોકોને જરૂરી સાવચેતી રાખવા સૂચના આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *